Tejashwi Yadav: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કથિત ‘જમીન પર નોકરી કૌભાંડ’ કેસમાં સીબીઆઈના સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે હાઈકોર્ટ પાસેથી સીબીઆઈના સમન્સ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. સીબીઆઈએ કથિત કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે.સીબીઆઈએ આ મહિનામાં ત્રણ વખત તેજસ્વી યાદવને પૂછપરછ માટે નોટિસ આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેજસ્વી યાદવ ‘નોકરી માટે જમીન કૌભાંડ’ કેસમાં મંગળવારે (14 માર્ચ) ત્રીજી વખત સીબીઆઈની પૂછપરછમાં હાજર રહ્યો ન હતો. અગાઉ 4 માર્ચ અને 11 માર્ચે તેજસ્વી અધિકારીઓ સમક્ષ પૂછપરછ માટે હાજર થયો ન હતો, ત્યારબાદ તેને 14 માર્ચે બોલાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે (Tejashwi Yadav) બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ આજે તેમની પત્નીની તબિયતના કારણે સીબીઆઈ સમક્ષ હાજર નહીં થાય. ઈડીના દરોડા બાદ ગઈકાલે તેમની પત્નીને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ગર્ભવતી છે, 12 કલાકની પૂછપરછ બાદ તે બીપીની સમસ્યાને કારણે બેહોશ થઈ ગઈ હતી. આરજેડી સાથે જોડાયેલા સૂત્રોએ આ જાણકારી આપી છે. CBIએ શનિવારે તેજસ્વી યાદવને કથિત ‘નોકરી માટે જમીન’ કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેજસ્વી યાદવને પહેલા 4 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ CBI અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ શનિવારે નવી તારીખ આપવામાં આવી હતી.
જમીનના બદલામાં નોકરીના કેસમાં (Tejashwi Yadav) સીબીઆઈએ તેજસ્વી યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં લાલુ યાદવ અને તેમના સમગ્ર પરિવારની સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે. 4 ફેબ્રુઆરીના રોજ તેજસ્વી યાદવને સીબીઆઈ દ્વારા તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ વિધાનસભાના ચાલુ સત્રને ટાંકીને દિલ્હી પહોંચ્યા ન હતા. આજે પણ સીબીઆઈએ તેમને બોલાવ્યા છે. સુત્રો જણાવી રહ્યા છે કે આજે પણ તેઓ સીબીઆઈની ઓફિસે આવશે નહીં.
SCO Meeting/ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ આવશે ભારત? SCO મીટિંગ માટે મોકલવામાં આવ્યું આમંત્રણ
Maharasthra/ મહાવિકાસ અઘાડીની બેઠક, 10થી વધુ મોટી સભાઓ યોજવાનું આયોજન, 2024ની લોકસભા ચૂંટણી પર નજર
Rajasthan/ એક પછી એક 56 બ્લેડ ગળી ગયો 24 વર્ષીય યુવક, થવા મંડી લોહીની ઉલટીઓ પછી…
