સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે #તેલંગણાએનકાઉન્ટરની પૂછપરછ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવાની દરખાસ્ત કરે છે. આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે જાણ છે કે તેલંગાણા હાઈકોર્ટ પહેલાથી જ આ મામલે પોતાનાં આદેશો આપી ચૂકી છે, અમે દિલ્હીમાં કોણ બેસીને આ ઘટનાની પૂછપરછ કરશે તે માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની નિમણૂક કરીશું.
આપને જણાવી દઇએ કે, હૈદરાબાદમાં પશુચિકિત્સક ડોકટર સાથે સામુહિક બળાત્કાર બાદ તેણીને જીવતી સળગાવવાનાં મામલે ચાર આરોપીની ધરકપડ કરવામાં આવી હતી. ઘટનાનું રિક્નસ્ટ્રશન કરવા સમયે આરોપી દ્વારા પોલીસની રિવ્લવોર છીનવી ભાગવાની કોશિશ કરવા જતા પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીનાં મોત થયા હતા, તો #તેલંગણાઃએનકાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટરનાં વિરોધમાં – તેલંગણા પોલીસ વિરોધ યાચિકા દાખલ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરને પડકારવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.