Not Set/ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાનો સિલસિલો યથાવત, એક જવાનની હત્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ દ્વારા સેનાના એક જવાનને ઠાર માર્યો હતો. યુવાન રજાઓ દરમિયાન તેના ઘરે આવ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનના નિવાસસ્થાનની બહાર હવાલદાર સલીમને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર […]

India
jammu kashmir જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાનો સિલસિલો યથાવત, એક જવાનની હત્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ દ્વારા સેનાના એક જવાનને ઠાર માર્યો હતો. યુવાન રજાઓ દરમિયાન તેના ઘરે આવ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનના નિવાસસ્થાનની બહાર હવાલદાર સલીમને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી.

અધિકારીએ જણાવ્યું કે ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ઉલ્લેખનિય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવુતિઓ થોડા સમય પહેલા થોડાક હદ સુધી ઘટી ગઈ હતી જોકે પાછળથી તેમાં અત્યત વધારો આવ્યો છે. કોરોનાના કહેર વચ્ચે એકાએક વધેલી આતંકી ઘટનોને કારણે ઘાટીના લોકો ખૂબજ ભયભીત બની ગયા છે.