Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંચમાં શનિવારે સાંજે એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો, જ્યારે અન્ય સૈનિકની સ્થિતિ ખૂબ જ નાજુક છે, તેની સારવાર ચાલી રહી છે, જ્યારે ત્રણ જવાનોની સ્થિતિ સ્થિર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો, આતંકવાદીઓએ સુરનકોટના સનાઈ ગામમાં આ હુમલો કર્યો હતો. જો કે ઘટના સ્થળે ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તે જ સમયે, વાયુસેનાના વાહનોને શાહસિતાર નજીકના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે.
ઘટના સ્થળે ભારતીય વાયુસેનાના ગરુડ વિશેષ દળને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો આ ઘટનામાં સામેલ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં લાગેલા છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને વિસ્તારમાં મોકલવામાં આવી છે.
રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે.
At around 1800h today, a Security Forces convoy of vehicles was fired upon by suspected terrorists from a jungle near Krishna Ghati #Poonch sector. No casualties to own troops. Joint search
Operations by #IndianArmy and #JKP are in progress.@adgpi @NorthernComd_IA pic.twitter.com/jR0ytWRy88— White Knight Corps (@Whiteknight_IA) January 12, 2024
આ પણ વાંચો:‘ઝેનોફોબિક નહીં પણ CAA ધરાવતો દેશ છે’: જયશંકરે આપી ધારદાર પ્રતિક્રિયા
આ પણ વાંચો:3 યુવતીઓની હત્યા, 800ની પૂછપરછ, 100નો DNA ટેસ્ટ
આ પણ વાંચો:અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા, દિલ્હી કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું