ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથેની વાતચીતની નવી શરૂઆત કરી છે, તો તેની મોટી અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વડા પ્રધાન ઇમરાન ખાન આ સંદર્ભે ગંભીર વિચારમાં જોવા મળે છે. એક તરફ કાશ્મીર મુદ્દે અલગતાને લઇને તેમની સરકારની અસ્વસ્થતા સામે આવવા માંડી છે, તો બીજી બાજુ પાકિસ્તાની વિપક્ષી પાર્ટીઓએ જે રીતે ઈમરાન સરકારને નિશાન બનાવ્યું છે, તેની સ્થાનિક સમસ્યાઓ પણ વધવાના સંકેત દેખાઈ રહી છે.
ભારત સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર પર પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. કાશ્મીર અંગે વડા પ્રધાન મોદી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ મોટા રાજકીય પક્ષોની વાતચીત અંગે, પાકિસ્તાનના તમામ અખબારોએ એક અવાજમાં લખ્યું છે કે પાકિસ્તાન એકલતાથી ઘેરાઇ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાનના ટીવી ચેનલોમાં આ જ મુદ્દાની ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમાં વિપક્ષી પાર્ટીઓ અને નિષ્ણાતો સર્વસંમતિથી કાશ્મીરના મુદ્દે ઈમરાન સરકારને ભારત સમક્ષ નમન કરવા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. નિષ્ણાંતના મતે 1947 પછી પહેલી વાર નવી દિલ્હીમાં કાશ્મીર પર આવી મીટિંગ થઈ હતી. પરંતુ તે સમયે પાકિસ્તાન વિશે વાત નહોતી થતી. હમણાં સુધી, જ્યારે ભારત સરકાર કાશ્મીરમાં કોઈ રાજકીય પહેલ કરતી હતી, ત્યારે હુર્રિયત લોકો સાથે વાતચીત પણ એક બાજુ હોતી. હુર્રિયતનાં પ્રતિનિધિઓ ફક્ત પાકિસ્તાન દ્વારા જે શીખવવામાં આવે છે તે જ વાત કરતા હતા. આ વાત પણ સાચી લાગે છે કારણ કે ભૂતકાળમાં હુર્રિયત નેતાઓએ ભારત સરકાર સાથે વાતચીત કરતા પહેલા પાકિસ્તાની હાઈ કમિશનર સાથે બેઠક યોજી છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ભારતીય વડા પ્રધાન દ્વારા બોલાવેલ બેઠકને નાટક ગણાવી હતી. તેમણે ખાસ કરીને હુર્રિયત નેતાઓને સભાથી દૂર રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કાશ્મીર અંગે પાકિસ્તાનમાં ચાલી રહેલી ચર્ચા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચી કહે છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. જ્યાં સુધી પાકિસ્તાન સાથેના સંબંધોની વાત છે તો અમારું વલણ સ્પષ્ટ છે. અમે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાને પહેલા આવા વાતાવરણને બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ભારતમાં આતંકવાદી કૃત્યો ચલાવનારા આતંકવાદી સંગઠનો સામે તેમણે નક્કર અને ખાતરીકારક પગલાં ભરવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ, 2019 માં જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ નાબૂદકરવા અને સમગ્ર રાજ્યને બે ભાગમાં વિભાજીત કરવાના નિર્ણયને પાકિસ્તાન તરફથી ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા મળ્યો હતો.. પાકિસ્તાન સરકારે ભારત સાથેના રાજદ્વારી સંબંધોને મર્યાદિત કર્યા છે અને તમામ વ્યવસાયિક સંબંધોને સમાપ્ત કર્યા છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાને પણ થોડા સમય પહેલા કહ્યું હતું કે, કલમ 37૦ નાબૂદ કરવી એ ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બે દિવસ પહેલા એક આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે જ્યાં સુધી ભારત કાશ્મીરમાં 2019 ની પહેલા હતી તેવી સ્થિતી સ્થિર નહીં કરે ત્યાં સુધી ભારત સાથે વાતચીત થઈ શકે નહીં.