- LRD મામલે પરિપત્ર રદ કરાશે: સરકારનો નિર્ણય
- LRD ભરતીમાં 1-8-18 નો પરિપત્ર રદ કરાયો
- LRD ભરતીમાં 1-8-18 નો પરિપત્રમાં સુધારા કરશે સરકાર
- CM સાથે OBC સમાજની બેઠક બાદ નિર્ણય
સત્યાગ્રહ છાવણી પર LRD આંદોલન નો આજે 64મો દિવસ છે. ઘર અને પરિવાર મૂકીને આ મહિલાઓ પોતાનો હક્ક મેળવવા અંદોલન પર બેઠી છે. 64 દિવસ ના અંતે સરકાર હવે આ મહિલા અંદોલન કારીઓ પર રીઝી છે. અને અને તેમના તરફેણમાં નિર્ણય લીધો છે. LRD ભરતીમાં 1-8-18 નો પરિપત્ર રદ કરાયો છે. સરકાર તરફથી જણાવવા માં આવ્યું છે કે, આ પરિપત્રમાં સુધારો કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી સાથે OBC સમાજની બેઠક નળી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં અવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી LRDની બહેનો આંદોલન કરી રહી હતી. અને ઘણી બહેનોએ અન્નજળનોત્યાગ કરી અનશન પર બેઠી હતી. જેમાંથી ચાર બહેનો ની તબિયત ખારબ થતા તેમને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.