ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આમિત શાહના પુત્ર અંગે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અમિત શાહના પુત્ર જય શાહની કંપનીમાં થયેલી ગેરરીતિના મામલે આ મુદ્દો હાલ રાજકીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે આ સમગ્ર મામલાની તપાસ સુપ્રિમ કોર્ટના બે વર્તમાન જજના આયોગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે તેમજ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે દસ સવાલના જવાબ પણ માંગ્યા છે.
કોંગ્રેસે જય શાહ મુદ્દે આ સવાલોના જવાબ માંગ્યા છે :
- એક એવો કયો કારોબાર છે જે જ્યાં માત્ર એક વર્ષમાં ૧૬,૦૦૦ ગણો વધી ગયો ?
- એક કરોડ ૩૦ લાખનો ખર્ચ એક વર્ષમાં ૪૦૦૦ ગણો વધીને ૫૩ કરોડ ૪૦ લાખ કેવી રીતે થયો ?
- આટલા નફા પછી પણ આ કંપની બંધ થઈ તો તેની તપાસ કેમ ના થઈ ?
- વિદેશોમાંથી ૫૧ કરોડ કેમ આવ્યા ?
- શું ૧૫ કરોડ ૭૮ લાખ રૂપિયા લોન આપનારી કંપનીને કોઈ ફાયદો આપવામાં આવ્યો કે નહીં ?
- શું ૭ કરોડની સંપત્તીના બદલે ૨૫ કરોડની લોન આપી શકાય ?
- અનુભવ વિના ભારત સરકારે વિન્ડ એનર્જી માટે લોન કેમ આપી ?
- પૂર્વ વીજ મંત્રી પીયુષ ગોયેલ જય શાહનો બચાવ કેમ કર્યો ?
- સરકારી વકીલને જય શાહના વકીલ બનવાની મંજુરી કેમ મળી ?
- આ કેસની તપાસ થાય ત્યાં સુધી કેમ અમિત શાહનું રાજીનામું લેવામાં કેમ ના આવ્યું ?