કોરોના વેક્સિનેશનને જોર આપવા માટે ભારત સરકારે દેશમાં વધારેમાં વધારે વેક્સિન અપાવવા પર કમરકસી લીધી છે. ભારતમાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ૨૧૬ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાની શક્યતા છે. પણ તેના માટે હજુ પાંચ મહિનાની રાહ જોવી પડશે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં વેક્સિન સંકટને જોતાં રાજ્યોએ વિદેશી વેક્સિન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી છે. જો કે જે પ્રકારે દેશમાં હાલમાં વેક્સિન વિતરણની પ્રક્રિયા છે તેને જોતાં આ સંકટ હમણાં ઉકેલાય તેવું જરાય લાગતુ નથી.
ક્યાંથી આવશે વેક્સિનના ડોઝ?
પપ કરોડ કો-વેક્સિનના ડોઝ, ૭પ કરોડ કોવિશિલ્ડના ડોઝ, ૩૦ કરોડ બાયો-ઇસબ યુનિટ વેક્સિનના ડોઝ, પ કરોડ ઝાયડસ કેડિલા ડીએનએના ડોઝ,
૨૦ કરોડ નૌ-વેક્સના ડોઝ, ૧૦ કરોડ ભારત બાયોટેક નેઝલ વેક્સિનના ડોઝ, ૬ કરોડ જિનોવાના ડોઝ ૧પ કરોડ સ્પૂતનિકના ડોઝ મળશે.
ભારતમાં સ્પૂતનિક-વીના ૧પ.૬ કરોડ ડોઝનું ઉત્પાદન થશે
કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ રશિયાની વેક્સિન સ્પૂતનિ-વી ભારતમાં કોરોના સામે લડવાનું ત્રીજુ હથિયાર બનશે. સ્પૂતનિકનો બીજો જથ્થો શુક્રવારે ભારત પહોચ્યો છે. તે પહેલાં ૧ મેના રોજ સ્પૂતનિકનો પહેલો જથ્થો ભારત પહોચ્યો હતો. હવે આવતા અઠવાડિયાથી દેશમાં સ્પૂતનિકનું વેક્સિનેશન શરૂ થઇ જશે અને જુલાઇ મહિના સુધીમાં સ્પૂતનિક-વીનું ઉત્પાદન ભારતમાં પણ કરવામાં આવશે જાણકારી પ્રમાણે દેશમાં સ્પૂતનિકના ૧પ.૬ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.
૧૦૦૦ હજાર રૂપિયામાં પડશે સ્પૂતનિક-વીનો એક ડોઝ
સ્પુતનિક-વી વેક્સિન આવતા અઠવાડિયામાં ભારતમાં મળવાની શરૂ થઇ જશે.,તેની ખાસ વાત એ છે કે આ વેક્સિન પહેલાં પ્રાઇવેટ સેક્ટરને મળશે. કોવિડ વર્કિગ ગ્રુપના ચેરમેન એન.કે. અરોરનું કહેવુ છે કે સ્પુતનિક-વી પહેલાં ખાનગી સેક્ટરને આપવામાં આવશે. વેક્સિનના વાયલને એક નિશ્ચિત તાપમાન પર રાખવુ જરૂરી છે. તેમણે કહયુ કે.,આવતા ૩ મહીનાથી ત્રણ ઘણી વધારે વેક્સીન મળશે.રશિયાની આ વેક્સિન સ્પુતનિક-વીનો એક ડોઝ ભારતમાં લગભગ ૧૦૦૦ હજાર રૂપિયામાં પડશે.
ભારતમાં સ્પુતનિકની આયાત કરનારી કંપની ડો.રેડ્ડી લેબોરેટરીએ આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યુ છે કે આ રસીને સેંન્ટરલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપી દીધી છે. જો કે આ વેક્સિનના પણ બે ડોઝ લગાવવા જરૂરી છે. આ વેક્સિનના એક ડોઝની વધારેમાં વધારે કિંમત ૯૪૮ રૂપિયા છે. તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે આ ડોઝ લગભગ એક હજાર રૂપિયામાં પડશે.
કેવી છે વેક્સિનના વિતરણની પ્રક્રિયા?
કેટલાક રાજયોના સ્વાસ્થય મંત્રીઓ કહી રહયા છે કે તેમના રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેક્સિન સેન્ટર બંધ કરવા પડી રહયા છે. તો હવે તેના માટે કોણ જવાબદાર છે? રાજય સરકારો કે કેન્દ્ર સરકાર કે પછી વેક્સિન બનાવતી કંપનીઓ ?
તેને સમજવા માટે હવે તમારે એ પણ સમજવુ પડશે કે વેક્સિનનું વિતરણ કેવી રીતે થાય છે ?
૪પ વર્ષથી ઉપરના લોકો માટે કેન્દ્ર સરકાર રાજ્યોને વેક્સિન અપાવે છે.
૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકો માટે રાજ્ય સરકાર જાતે વેક્સિન ખરીદે છે.
વેક્સિન નિર્માતાઓને પચાસ ટકા વેક્સિન આપૂતિ કેન્દ્ર સરકારને કરવાની છે.
બાકીના પચાસ ટકામાંથી કંપની તમામ રાજ્યો અને ખાનગી હોસ્પિટલનો વેક્સિન આપે છે.
વેક્સિનની વાસ્તવિક સ્થિતી જાણી લો
સુપ્રિમકોર્ટને કેન્દ્રએ જે જાણકારી આપી છે તેનાથી પણ આ સંકટ ઉકેલાઇ જાય તેવુ લાગતું નથી.
મે મહિનામાં કુલ ૮.પ કરોડ ડોઝ મળવાની શક્યતા છે.
તેમાંથી પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકાર પોતાની પાસે રાખશે.
જ્યારે બાકીના પચાસ ટકામાંથી રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને વેક્સિન મળશે.
મે મહિનામાં લોકોને આપવા માટે રાજ્યોને મળશે માત્ર બે કરોડ ડોઝ. મળશે જેમાં રાજ્યો પોતાની રીતે વેક્સિનેશન અભિયાન આગળ વધારી શકશે.
વિદેશી વેક્સિન માટે ગ્લોબલ ટેન્ટર બહાર પાડશે રાજ્ય
કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં વેક્સિન કંપનીઓ પાસે ઉત્પાદન વધારવાની આશા બતાવી છે.પણ જુલાઇ પહેલાં રાજ્યોએ પોતાના રસ્તે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું. તામીલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તેલંઘાણા. આંધ્રપ્રદેશ, ઉત્તરાખંઙ, જેવા રાજયોએ વેક્સિન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર ખરીદવાનો પ્રસ્તાવ મૂકયો છે. એટલે કે રાજ્યોને એવું લાગી રહયુ છે કે વેક્સિનેશન માટે આ બે કંપનીઓના ભરોસે બેસી રહેવાય તેમ નથી.