Gandhinagar News/ પાટીદાર આંદોલન વખતે થયેલા તમામ કેસ સરકારે પરત ખેંચ્યા

નેતાઓએ ટ્વીટ કરી રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: વર્ષ 2015માં પાટીદાર આંદોલન (Patidar Andolan) વખતે થયેલા તમામ કેસ પરત ખેંચવામાં આવતાં દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે.

ગુજરાતમાં અનામત મેળવવા પાટીદારોએ વર્ષ 2015માં આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં પાટીદાર આગેવાનો હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલ સામે ગંભીર ગુનાઓ નોંધાયા હતા. કેસમાં 307 જેવી કલમો લગાડવામાં આવી હતી. પાટદાર અનામત આંદોલનમાં આંદોલનકારીઓ સામે થયેલા રાજદ્રોહ સહિત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. ગુજરાતમાં અનામત આંદોલન મામલે અલગ-અલગ 14 કેસ નોંધાયા હતા. અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, અમરેલી, સુરતમાં કેસ થયા હતા.

દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને CMનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવા બદલ ખૂબ ખૂબ આભાર. કેસ પરત ખેંચવા મામલે SPG અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય. પાટીદાર અનામત આંદોલન વ્યક્તિગત નહીં પણ સમાજ માટેનું હતું. આંદોલન દરમિયાન યુવાનો પર ખોટા કેસ કરાયા હતા. હું મુખ્યમંત્રીને કેસો પરત ખેંચવા મામલે રજૂઆત પણ કરતો હતો. સરકારે આ ખૂબ જ સારો નિર્ણય લીધો છે. આંદોલન દરમિયાન થયેલ કેસો પરત ખેંચાય તેવી મુખ્યમંત્રીને અપીલ પણ કરવામાં આવી હતી.

Patel quota agitation leader Lalji Patel freed on bail | Patel quota  agitation leader Lalji Patel freed on bail

અમદાવાદમાં પૂર્વ પાસ સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ કેસ પરત લીધા અંગે આભાર માન્યો છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રાજ્ય સરકાર અને સામાજિક આગેવાનોનો પણ આભાર માનું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ ઉદ્યોગપતિ કરસનદાસ પટેલે તોડ્યું મૌન, ‘આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું’

આ પણ વાંચો:ગુજરાતમાં શું ફરી થશે પાટીદાર આંદોલન, પાટણમાં પાટીદારોએ કર્યું શક્તિપ્રદર્શન

આ પણ વાંચો:પાટીદાર આંદોલન સમયે MLAની ઓફિસમાં તોડફોડ મામલો, વિસનગર કોર્ટમાં આજે મહત્વ ચૂકાદો