વિસનગર
પાટીદાર અનામત આંદોલનની સૌ પ્રથમ હિંસક તોફાનની ઘટના અંગે નોંધાયેલા કેસમાં વિસનગર કોર્ટ આજે ચુકાદો આપશે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને પાસના હાર્દિક પટેલ સહિત 17 આરોપી હાલ આગોતરા જામીન પર મુક્ત છે.
જેમની સામે ગુનો નોંધાયો હતો આપને જણાવી દઈએ કે, વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાએ તોડફોડ કરી હતી.આ ઉપરાંત ભાજપના અગ્રણી નેતાની કારને પણ સળગાવી દીધી હતી.
આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.
એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.
જે અંગે ગુનો નોંધાયો છે. આ ગુનાના કેસમાં વિસનગર કોર્ટ ચુકાદો સંભળાવશે. પાટીદારો મોટી સંખ્યામાં વિસનગર કોર્ટ કંપાઉન્ડમાં ઉમટી પડ્યા છે. સમગ્ર વિસનગર શહેર સહિત જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગાઠવી દેવામાં આવ્યો છે..