Gandhinagar/ દહેજની લાલચમાં પતિએ કરી પત્નીની હત્યા

તમે ઘણી વાર સાંભળ્યું હશે ઘર કંકાસમાં લોકો એક બીજાની હત્યા કરી નાખે છે ત્યારે આવીજ એક ઘટના વડોદરામાં બની છે જ્યાં એક પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 03T141221.199 દહેજની લાલચમાં પતિએ કરી પત્નીની હત્યા

તમે ઘણી વાર સાંભળ્યું હશે ઘર કંકાસમાં લોકો એક બીજાની હત્યા કરી નાખે છે ત્યારે આવીજ એક ઘટના વડોદરામાં બની છે જ્યાં એક પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આપને જણાવી દઈએ વડોદરા શહેરમાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઇ ગયો છે. જી હા… જાણકારી અનુસાર પતિએ લોખંડનો તવો માથામાં મારી દેતાં પત્નીનું મોત નીપજ્યું હતું. જેને પગલે ગોરવા પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે.

દીકરીની હત્યાની જાણ થતા મૃતક નિશારબાનુના પિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જાણવા મળ્યું છે કે નિશારબાનુના લગ્ન મોઇનખાન પઠાણ સાથે થયા હતા. તેમને ત્રણ વર્ષનું બાળક છે. લગ્ન પછી મોઇનખાન કોઈને કોઈ બહાને મારી દીકરી સાથે ઝઘડો અને મારપીટ કરતો હતો. જેના કારણે  દીકરીનો પરિવાર સચવાઇ રહે તે માટે તેના પિતા તેને સમજાવીને સાસરીમાં પાછી મોકલી દેતાં હતાં. લગ્ન સમયે જમાઇએ બાઇકની માગણી કરતા તે પણ અપાવી હતી. છતાં તેની માગણીઓ સંતોષાઇ નહોતી અને તે રૂપિયાની માંગીને કરને તેની પત્ની જોડે ઝઘડા કરતો હતો. તેને આરોપીએ તેના સસરા પાસે 22000 રૂપિયા માંગ્યા હતા અને તેમને ધમકી પણ આપી હતી.  જેમાં તેને કહ્યું હતું કે  તેને 22 હજાર રૂપિયાની જરૂર છે તમે મને આ રૂપિયા નહીં આપો તો હું તમારી દીકરીને તમારા ઘરે મૂકી જઇશ. પરંતુ આ માંગણી ન સંતોષાતા મોઇન નિશારબાનુને મારતો હતો.

આ દરમિયાન પતિએ લોનના હપ્તાના નાણા માટે તેની સાથે મારઝૂડ કરી હતી. 27 જૂનના રોજ રાત્રિના 11.30થી 11.45 વાગ્યાની વચ્ચે નિશારબાનુએ તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘પપ્પા, મને લેવા માટે આવો નહીં તો આ લોકો મને મારી નાખશે. દીકરીની આવી વાત સાંભળીને પિતા તરતજ તેના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે તે તેના ઘરે પહોચે તે પેલા  નવાયાર્ડ બ્રિજ પાસે નિશારબાનુ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.તેના પિતાએ જયારે નીચે ઉતારીને જોયું ત્યારે  તેના  માથામાંથી લોહી નીકળતું હતું. જેના વિશે જણાવતા નિશારબાનુએ કહ્યુ કે, ‘મારા પતિએ મને માથાના ભાગે લોખંડનો તવો માર્યો  છે. આ સંભાળીને તેના પિતાએ ઇજાગ્રસ્ત દીકરીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને આરોપી વિરુદ્ધ તેના સસરાએ ફરિયાદ નોંધાવી છે.અને પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો