બોલીવુડ ન્યુઝ/ બોલીવુડ ના એકટર શેખર સુમનની માતાનું નિધન,સોશિયલ મીડિયા પર જાણકારી આપી

બોલિવૂડ એક્ટર શેખર સુમનની માતાનું નિધન થયું છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર આ દુઃખદ સામાચાર ફેંસને આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે તે અથાન થઈ ગયા, તૂટી ગયા છે. અભિનેતાએ પ્રાર્થના કરતા અને આશીર્વાદ આપવા માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે. શેખર સુમને ટ્વીટ કર્યું હ તું કે મારી પ્યારી મા, જેને હું દુનિયામાં સૌથી […]

Entertainment
Untitled 202 બોલીવુડ ના એકટર શેખર સુમનની માતાનું નિધન,સોશિયલ મીડિયા પર જાણકારી આપી

બોલિવૂડ એક્ટર શેખર સુમનની માતાનું નિધન થયું છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર આ દુઃખદ સામાચાર ફેંસને આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે તે અથાન થઈ ગયા, તૂટી ગયા છે. અભિનેતાએ પ્રાર્થના કરતા અને આશીર્વાદ આપવા માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે.

શેખર સુમને ટ્વીટ કર્યું હ તું કે મારી પ્યારી મા, જેને હું દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતો હતો, તેના જવાથી હું અનાથ અને વિખેરાઈ ગયો છું. દરેક સમયે અમારો સાથ આપવા માટે દિલથી ધન્યવાદ. હું તમને છેલ્લા શ્વાસ સુધી યાદ કરીશ. તમને બધાને પ્રાર્થના અને આશીર્વાદ આપવા માટે આભાર.

અભિનેતાએ બે દિવસ પહેલા એક ટ્વીટ કર્યું હતું અને પોતાની માતા માટે દુઆ મોકલવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે મારી માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે તમને બધાને ધન્યવાદ. હું હંમેશા આભારી રહીશ.

15 જૂને શેખર સુમને ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે તેમની માતાની હાલત ખુબ જ ક્રિટિકલ છે. તેમણે લખ્યું હતું કે મારી માતાની હાલત ખુબ જ નાજુક છે. મારું દિલ ડુબી રહ્યું છે. તેઓ ગંભીર લડાઈ લડી રહ્યા છે. ભગવાન શિવને પાર્થના કરો કે તે આ સંકટથી બહાર નીકળવાની શક્તિ આપે. તમારી પ્રાર્થનાની જરૂર છે.