ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઇઓને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ જોગવાઇઓને ગેરબંધારણીય ઠેરવી રદ કરવાની માંગની રિટ કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે આ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટને પુષ્કળ સત્તાઓ આપવામાં આવી છે અને આ કાયદા અંતર્ગત કોર્ટનું હુકૂમત ક્ષેત્ર નક્કી કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 18મી ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.
રિટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ કાયદા હેઠળ નિર્ધારિત કરવામા આવેલી જોગવાઇઓમાં ખાનગી જમીનને પણ આવરી લેવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે વર્ષો પહેલાં થયેલા ખાનગી જમીનના ખરીદ-વેચાણના કરારાો પણ આ કાયદા હેઠળ છે. જે અંગે નિર્ણયો લેવાની સ્પેશિયલ કોર્ટને બેહિસાબ સત્તાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી જમીનો અંગે અગાઉ સિવિલ કોર્ટોએ આપેલા આદેશો અને ડિક્રીને રદ કરવાની સત્તા પણ આ સ્પેશિયલ કોર્ટને આપવામાં આવી છે.
આ રીટમાં એડવોકેટ વિરાટ પોપટ તરફથી એવી રજુઆત પણ કરવામાં આવી છે કે આ કાયદામાં એક નવા ગુનાને દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિના પિતાએ ગુનો અથવા તો ખોટી રીતે જમીન લઈ લીધી હોય તો તેના પુત્રની વિરૂદ્ધ પણ ગુનો બને અને ફરિયાદ થઈ શકે છે. કાયદા મુજબ આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત કયા પ્રકારની જમીનના કેસો કાયદા હેઠળની સ્પેશિયલ કોર્ટમાં ચાલશે તે અંગેનો તફાવત કાયદામાં મુકવામાં આવ્યો નથી. જેથી જમીનના કેસો અંગે વિસંગતતાઓ ઉભી થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
