આજે પ્લેઓફનાં બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો થવાનો છે. આ આઈપીએલમાં હૈદરાબાદની ટીમ સારા રંગમાં દેખાઇ રહી છે, પરંતુ દિલ્હીની પાસે ફ્રેશ માઇન્ડસેટથી પણ આવવાનો સમય છે. આ મેચ સાથે, પ્લેઓફ રાઉન્ડ સમાપ્ત થશે અને આપણને આઈપીએલ સીઝન 13 નાં ફાઇનલિસ્ટ મળી જશે.
મોટી વાત એ છે કે, લીગ સ્ટેજમાં બંને વખત દિલ્હી સનરાઇઝર્સ સામે હારી ગયું છે. જ્યારે કેગિસો રબાડા આ સમયે તેના ટોપ ફોર્મમાં નથી કારણ કે તે છેલ્લી ચાર મેચોમાં ત્રણ વાર વિકેટ લઇ શક્યા નથી. દિલ્હીની એક મુશ્કેલી એ છે કે તેની પાસે રબાડા અને નોર્જે જેવા તોફાની બોલરો માટે ત્રીજો વિકલ્પ નથી. ખાસ કરીને કોઈ ભારતીય બોલર નથી જે સમાન ધોરણનો હોય.
મેચ અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ પર યોજાવાની છે, જ્યા અગાઉની મેચમાં ઝાકળ પડી ન હોતી. આવી સ્થિતિમાં, ટોસ જીતેલા કેપ્ટનનાં મનમાં થોડી શંકા થઈ શકે છે, તે શું નિર્ણય લે. બીજી તરફ, પૃથ્વી શો નાં નબળા ફોર્મને કારણે, તે આ મહત્વપૂર્ણ મેચમાં રમશે તેવી સંભાવના ઓછી છે. આ સિવાય ડેનિયલ સેમ્સની જગ્યાએ ભારતીય ઝડપી બોલરની બદલી થઈ શકે છે. બીજી તરફ ડેવિડ વોર્નરની ટીમ વિજય રથ પર સવાર છે અને તે સતત પાંચમી મેચ જીતવા મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં, તે વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં.