- નવસારીઃ ચીખલીના સાદકપોર ગામમાં મૂર્તિ ખંડિત કરાતા રોષ
- રામજી ભૂતબાપાના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની લાગણી દુભાઇ
- સાદકપોરમાં 125 વર્ષ જૂના મંદિરમાં અજાણ્યા શખ્સનું કારસ્તાન
- અજાણ્યા વ્યક્તિએ બાપાની બંને મૂર્તિ ઈંટ અને પથ્થરથી તોડી
- મૂર્તિ ખંડિત થવાની વાત સમગ્ર ગામમાં વાયુવેગે ફેલાઈ
ચીખલી તાલુકાના સાદકપોર સહિત સ્થાનિક લોકોમાં અપાર આસ્થા ધરાવતા વાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામજી ભૂત બાપાના મંદિરમાં સાંજના છ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બાપાની નવી અને જૂની બંને મૂર્તિઓ ઈંટો અને પથ્થરો વડે તોડી નાખવામાં આવી હતી. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાપાની મૂર્તિ ખંડિત થતાં સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી
આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’
આ પણ વાંચો:બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન
