પાકિસ્તાનને હવે તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. લાચાર પાકિસ્તાને હવે ભારતમાંથી દવાઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિઓ ટીવી અનુસાર, પાક સરકારે સોમવારે ભારતમાંથી જીવન રક્ષક દવાઓની આયાતને મંજૂરી આપી, જેથી દર્દીઓ રાહત મેળવી શકે.
પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે વૈશ્વિક નિયમનકારી આદેશ જારી કર્યો છે કે તેના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાંથી દવા આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. જુલાઇ મહિનામાં પાકિસ્તાને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી 1 અબજ 36 કરોડની દવાઓ મંગાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.