કોરોના રસીની ચર્ચા વચ્ચે, ભારતમાં વાયરસ સંક્રમણની ગતિ છેલ્લા કેટલાક દિવસોથી રાહત આપવા જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 32,080 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સંક્રમણની વધતી ગતિ છેલ્લા કેટલાક સમયથી તેની આસપાસ રહી છે. નવા પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ દેશમાં રોગચાળાનો આંકડો 97 લાખ 35 હજારને પાર કરી ગયો છે.
આપને જણાવી દઇએ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં કારણે 402 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જો તમે અત્યાર સુધીનાં આંકડા પર નજર નાખો તો ભારતમાં 1,41,360 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
With 32,080 new #COVID19 infections, India's total cases rise to 97,35,850.
With 402 new deaths, toll mounts to 1,41,360. Total active cases at 3,78,909.
Total discharged cases at 92,15,581 with 36,635 new discharges in the last 24 hours. pic.twitter.com/67lXf6bqFE
— ANI (@ANI) December 9, 2020
સંક્રમણની ગતિમાં ઘટાડો થયો છે, તેમજ સક્રિય કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા અનુસાર દેશમાં કુલ 3,78,909 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 92,15,581 દર્દીઓ સ્વસ્થ થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે લગભગ 36,635 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ
કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી
RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
