વિશ્વ ખરેખર રંગીન છે. અહીં તમને રોજ કંઈક નવું સાંભળવાનું મળશે. આવા જ કેટલાક સમાચારો આ કબ્રસ્તાન વિશે છે. નવાઈ પમાડે એવી વાત છે કે, બે દાયકાથી વધુ જૂના આ કબ્રસ્તાનમાંથી હાડપિંજર દૂર કરવામાં આવી રહ્યા છે. આ સ્મશાનગૃહમાંથી હાડપિંજર કાઢવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. ચાલો જાણીએ કારણ શું છે.
યુકેના બર્મિંગહામના એચએસટીઓ રેલ્વે સ્ટેશન પર બાંધવા માટે કબ્રસ્તાન ખોદવામાં આવી રહ્યું છે. આ કબ્રસ્તાનમાં 6500 થી વધુ મૃતદેહો છે જેને દૂર કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બર્મિંગહામમાં રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટ હેઠળ અંહી સ્ટ્રીટ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવનાર છે.
આથી આ કબ્રસ્તાન ખોદકામ કરવામાં આવ્યું છે. હવે મશીનો દ્વારા હાડપિંજરને દૂર કરવાનું કામ ચાલુ છે. છેલ્લા 46 વર્ષથી આ 209 વર્ષ જુના કબ્રસ્તાનમાં કોઈ મૃતદેહને દફનાવવામાં આવતો ન હતો. રેલ્વે સ્ટેશન બનાવવાની ઘોષણા પછી, પુરાતત્ત્વવિદોની ટીમે અહીં કબરો ખોદી હતી.
જેમાં તેમને શિલ્પ, સિક્કા, રમકડા, કિંમતી ગળાનો હાર અને ઘણી કલાકૃતિઓ મળી હતી. બર્મિંગહામના સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે ચર્ચની સલાહ લીધા પછી અવશેષોને અન્યત્ર દફનાવવામાં આવશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.