ગુજરાત/ અહિં બનશે વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર, આ તારીખે કરવામાં આવશે ભૂમિપૂજન, જાણો..

વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર ગુજરાતમાં બનવા જઇ રહ્યું છે જી હા, અત્યાર સુધી નંદીની પૂજા શીવાલય કે અન્ય મંદિરમાં જ કરવામાં આવતી હતી

Top Stories Gujarat Trending
4 20 અહિં બનશે વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર, આ તારીખે કરવામાં આવશે ભૂમિપૂજન, જાણો..

વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર ગુજરાતમાં બનવા જઇ રહ્યું છે. જી હા, અત્યાર સુધી નંદીની પૂજા શીવાલય કે અન્ય મંદિરમાં જ કરવામાં આવતી હતી. પરંતુ હવે ગાય માતાનું મંદિર બનશે. તો ચાલો જાણીએ મંદિર વિશે..

રાજયના અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા ભાટ વિસ્તારમાં વિશ્વનું પહેલું ગાય માતનું  મંદિર બનશે. આગામી 26મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી અહિં ગૌમહોત્સવ પણ ઉજવવામાં આવશે. અને આ સ્થળે 10 દિવસ યજ્ઞ કરવામાં આવશે. મંદિરન કુલ 11000 વારમાં  બનાવવામાં આવશે. જેના કુલ  7 માળ હશે. એટલુ જ નહીં તેની આજુબાજુ ગાય અને વાછરડાંને મૂકવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથે  કરવામાં આવે તેવી શક્યતા છે.

સૌપ્રથમવાર ગાય માતાનું મંદિર બનશે જ્યાં સવાર-સાંજ ગાય માતાની આરતી અને પૂજા પણ કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આ મંદિરનું નિર્માણ થશે જેનું ભૂમિપૂજન આગામી 1લી નવેમ્બરના રોજ કરવામાં આવશે.

મંદિરના ભૂમિપૂજન વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયકક્ષાના મંત્રીઓ સહિત ભારતભરનાં અનેક સાધુ-સંતો હાજર રહેવાના છે. આ અંગે માહિતી આપતા ગૌધામ મહાતીર્થ પથમેડાના સચિવ આલોકસિંહલે જણાવે છે કે, ‘આ મંદિર ભવ્યાતિભવ્ય તો બનશે પરંતુ તેની સાથે વિશ્વનું પહેલું મંદિર હશે. જ્યાં ગૌ માતાની પૂજા કરવામાં આવતી હોય. ગાયમાતાનું મંદિર ભારતમાં બનાવવા અંગેની ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. જેમાં રાજસ્થાન, પુષ્કર, દિલ્હી, હિમાલય સહિત અનેક સ્થળોની વિચારણા કરવામાં આવી હતી અને આખરે ગુજરાતની ધરતી પર ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આ મંદિરના નિર્માણ અંગે સ્થળ નક્કી કરવામાં આવ્યું.

આ મંદિર ગૌધામ મહાતીર્થ પથમેડા દ્વારા બનાવવામાં આવશે. જેમાં કુલ 52 જેટલી ગાય અને તેનાં વાછરડાંને રાખવામાં આવશે અને  તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. સાત માળના મંદિરમાં દરેક માળ પર ગાય રાખવામાં આવશે, ઉપરાંત ભગવાન અને ગાય સાથે જોડાયેલી વાતો દર્શન કરવા આવતા ભાવિકો સમજી શકે તેવા પ્રયાસ પણ કરાશે. જેમાં શ્રીકૃષ્ણ સાથે ગાય માતાનો પ્રેમ, ગાય સાથે જોડાયેલી શિવકથા અથવા બ્રહ્માની વાતની રજૂઆત થશે.  મંદિરના છઠ્ઠા માળે જુદા-જુદા યુગમાં ગાયમાતા વિશે માહિતી આપતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. જ્યારે સૌથી નીચે એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાયમાતાને રાખવામાં આવશે.

 વધુમાં  સ્વાગત કમિટીના સદસ્ય કિશનદાસ અગ્રવાલે કહ્યુ હતુ કે, દુનિયા માટે ગાયનું મંદિર આકર્ષણનું કેન્દ્ર રહેશે. કારણ કે અહીં મંદિરમાં ઈતિહાસને દર્શાવવામાં આવશે. મંદિરનાં ભૂમિપૂજન માટે અનેક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાનને પણ આમંત્રણ આપાવમાં આવ્યું છે.

નોંધનીય છે કે આ મંદિર નિર્માણનું આયોજન  ઉત્તરપ્રદેશના સંત ગુરુકાષિણ સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ, વૃંદાવનના મલુકપીઠના જગદગુરુ દ્વારાચાર્ય સ્વામી રાજેન્દ્રાસદેવાચાર્યજી મહારાજ, દિલ્હીના બિજવાસન ગોલોકધામના ધર્મરત્ન સ્વામી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, ઉડીસા પુરીના પરમહંસ સ્વામી પ્રજ્ઞાનંદજી મહારાજ, મહારાષ્ટ્ર ગોવિનંદદેવગીરીજી મહારાજ, ગુજરાત વડોદરાના પરમ પુજય ગોસ્વામી 108 દ્રારકેશલાલજી મહારાજ, રાજસ્થાનના પથમેડાના ગોવત્સ રાધાકૃષ્ણજી મહારાજ સહિત અને ચિતોડનાં પરમપૂજ્ય ગ્વાલસંત સ્વામી ગોપાલનંદજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે.