Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની આ 47 બેઠકો જ્યાં પરિવર્તન નહીં પુનરાવર્તન જ છે સૂત્ર

ગુજરાત વિધાનસભાની 47 બેઠકો એવી છે જ્યાં મતદારોનો મિજાજ પરિવર્તનનો નહી પણ પુનરાવર્તનનો છે. લગભગ ત્રણ દાયકાથી રાજકીય પક્ષો પર આ બેઠકોનો કબ્જો છે. આનો અર્થ એમ કરી શકાય કે મતદારોએ એક જ પક્ષમાં વિશ્વાસ દાખવ્યો છે.

Top Stories Gujarat
Congress BJP ગુજરાત વિધાનસભાની આ 47 બેઠકો જ્યાં પરિવર્તન નહીં પુનરાવર્તન જ છે સૂત્ર

Gujarat assemblyની 47 બેઠકો એવી છે જ્યાં મતદારોનો (Voter) મિજાજ પરિવર્તન (Change)નો નહી પણ પુનરાવર્તન (Repeat)નો છે. લગભગ ત્રણ દાયકાથી રાજકીય પક્ષો (Political party) પર આ બેઠકોનો કબ્જો છે. આનો અર્થ એમ કરી શકાય કે મતદારોએ એક જ પક્ષમાં વિશ્વાસ દાખવ્યો છે. આમાથી 20 બેઠકો કોંગ્રેસની (Congress) છે અને કેમ ન હોય તે વર્ષો જૂની પાર્ટી છે અને જૂની જોગી છે. જ્યારે ભાજપની (BJP) 27 બેઠકો છે.

રાજ્યની વિસનગર, એલિસબ્રિજ, મહેસાણા, ઇડર, રાજકોટ-પશ્ચિમ, નરોડા, મણિનગર, સાબરમતી, વઢવાણ, રાજકોટ દક્ષિણ, અસારવા, નવસારી, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્ય, ગણદેવી, સયાજીગંજ, અંકલેશ્વર, ઓલપાડ, સુરત-ઉત્તર, કેશોદ, મહુઆ, બોટાદ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, જલાલપોર, નડિયાદ, કલોલ, વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કોઈપણ સંજોગોમાં ભાજપનો આ 27 બેઠક પર વિજય નિશ્ચિત મનાય છે.

ભાજપ રાજ્યમાં ભલે 27 વર્ષથી સત્તા પર હોય પરંતુ આટલા સમયગાળા દરમિયાન પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીતી શક્યું નથી તે હકીકત છે. આ વખતે પણ નહી જીતે તેમ મનાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ 20 બેઠકો પર કોંગ્રેસનો વિજય પહેલેથી જ નિશ્ચિત મનાય છે. આ બેઠકોમાં બોરસદ,વ્યારા, મહુધા,દાંતા, કપરાડા, વાસંદા, ભિલોડા અને વડગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરિયાપુર અને ખેડબ્રહ્મા પણ ખરા. આ પહેલા જસદણની બેઠક કોંગ્રેસની જ મનાતી હતી, પરંતુ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી આ બેઠક તેમની રહી નથી. કોંગ્રેસને આદિવાસી પટ્ટાનો જબરજસ્ત ટેકો છે અને તેના લીધે કોંગ્રેસ દર વખતે 45 બેઠકો સુધી તો સરળતાથી પહોંચી જાય છે.

આ પણ વાંચો

રાજકોટની દક્ષિણ બેઠક- ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા પણ મેદાનમાં

 ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેરઃ સી આર પાટિલ