Ganesh Visarjan/ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે સૌથી શુભ મુહૂર્ત

10 દિવસીય ગણેશ ઉત્સવનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. 10 દિવસ સુધી તેમના ભક્તોની વચ્ચે રહ્યા પછી, ગણપતિ બાપ્પા અનંત ચતુર્દશીના દિવસે વિદાય લે છે.

Top Stories Religious Dharma & Bhakti

10 દિવસીય ગણેશ ઉત્સવનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. 10 દિવસ સુધી તેમના ભક્તોની વચ્ચે રહ્યા પછી, ગણપતિ બાપ્પા અનંત ચતુર્દશીના દિવસે વિદાય લે છે. ભાદ્રપદ શુક્લની ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આજે ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, દેશભરમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 10 દિવસ સુધી વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને ગણેશ વિસર્જન કરવાથી દરેક પ્રકારના દુ:ખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેમજ ગણપતિની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે

ગણેશ વિસર્જન 2023 નો શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, આજે અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત સવારે 06:11 થી 07:40 સુધીનો રહેશે. ત્યાર બાદ ગણેશ વિસર્જન માટે સાંજે 04:41 થી 09:10 સુધીનો શુભ મુહૂર્ત છે.

ગણપતિ વિસર્જન ઘરે કેવી રીતે કરવું

ગણેશ વિસર્જન ઘરે પણ કરી શકાય છે. આ માટે શુભ મુહૂર્તમાં કોઈ પણ ડોલ અથવા ટબમાં સ્વચ્છ પાણી લો. પછી ભગવાન ગણેશની આરતી કરો અને તેમને આદરપૂર્વક પાણીમાં વિસર્જન કરો. જ્યારે મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય, ત્યારે આ પાણી વૃક્ષના કુંડામાં પીવડાવી દો.

ભગવાન વિષ્ણુની પૂજા કરો

આ સાથે અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ઘણું મહત્વ છે. અનંત ચતુર્દશી તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે, આ દિવસે તેમના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને 14 ગાંઠનું અનંત સૂત્ર બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દોરો દરેક સંકટમાં ભગવાન વિષ્ણુના ભક્તોની રક્ષા કરે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ/ વૃષભ રાશિના જાતકોને રોકાણથી લાભ થાય, જાણો તમારું રાશિ ભવિષ્ય

આ પણ વાંચો: આગ/ દિલ્હીના મુખર્જી નગરમાં ભીષણ આગ લાગી,ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ,સુરક્ષિત રીતે 34 વિધાર્થીનીઓને બહાર

આ પણ વાંચો: ICC World Cup 2023/ સાત વર્ષ બાદ ભારત પહોંચી પાકિસ્તાનની ટીમ, બાબર આઝમની એક ઝલક મેળવવા ચાહકો બેતાબ