થોડા દિવસો પહેલા માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની ઘટનામાં અનેક લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા મંદિરની ઘટના પાછળનું કારણ શોધવા માટે અનેક સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. આ માહિતી ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય એ આજે લોકસભામાં આપી હતી.
આ પણ વાંચો:UP Congress Manifesto / યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન મા
ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, “શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગની ઘટનાના કારણો શોધવા માટે, જમ્મુ અને કાશ્મીર સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિએ RFID આધારિત ભીડને મંજૂરી આપી છે. ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ, વધારાના સીસીટીવી કેમેરા, જેકે પોલીસ અને સીઆરપીએફના જવાનોની વધારાની તૈનાતી સહિત લેવામાં આવી છે.
આ પણ વાંચો:Hijab Controversy / ભારતમાં દર વર્ષે મુસ્લિમ મહિલાઓ કપડાં કેટલો ખર્ચ કરે છે ? આવો જાણીએ
આપને જણાવી દઈએ કે વર્ષ 2022 ના પહેલા દિવસે હજારો ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. જે બાદ લોકો એકબીજાને ધક્કો મારવા લાગ્યા. આ હૃદયદ્રાવક ઘટનામાં 13 લોકોના મોત થયા હતા અને 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ પીએમ મોદી સહિત દેશના તમામ નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ મૃતકોના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર વળતરની પણ જાહેરાત કરી હતી.