Not Set/ સૌરાષ્ટ્રનું આ ગામ જ્યાં હજુ સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી

કોરોનાની બીજી લહેર ગુજરાતના ગામેગામ પહોંચી ગઈ છે. ગામડાઓમા કેસ ખતરનાક ઢબે વધી રહ્યાં છે. આ માટે ગુજરાત સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી ગામડામાં આવતા આપણે  કોરોનાને ત્યાં જ ડામી શકાય અને સંક્રમણ વધે નહિ તે માટે  આ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે . પરંતુ ગુજરાતના કેટલાક ગામ હજી […]

Gujarat Rajkot
Untitled 161 સૌરાષ્ટ્રનું આ ગામ જ્યાં હજુ સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી

કોરોનાની બીજી લહેર ગુજરાતના ગામેગામ પહોંચી ગઈ છે. ગામડાઓમા કેસ ખતરનાક ઢબે વધી રહ્યાં છે. આ માટે ગુજરાત સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી ગામડામાં આવતા આપણે  કોરોનાને ત્યાં જ ડામી શકાય અને સંક્રમણ વધે નહિ તે માટે  આ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે . પરંતુ ગુજરાતના કેટલાક ગામ હજી પણ એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. સૌરાષ્ટ્રનું રાજકોટનું ગુંદાળા ગામ જ્યાં હજુ પણ એક કેસ નોધાયો નથી .

કોરોનાની પહેલી લહેરમાં ગુંદાળા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે કે કોરોનાની બીજી લહેરમાં પણ ગામે ગામ કોરોનાનુ સંક્રમણ વધ્યું પરંતુ ગુંદાળા ગામ કોરોના હાર્યો છે. આ ગામ હજી સુધી કોરોનામુક્ત ગામ છે. તેના પાછળ કારણભૂત છે ગામવાસીઓનું સદઢ આયોજન. કોરોનાને ગામમાં આવતો રોકવા માટે ગુંદાળાવાસીઓનું જડબેસલાક પ્લાનિંગ છે.

પહેલી લહેરમાં પણ ગુંદાળાના લોકોએ લોકડાઉનના નિયમોનું પાલન કર્યું હતું. તો બીજી લહેરમાં ગામના ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું છે. ગામમાં બહારના લોકોને નેગેટિવ રિપોર્ટ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. સાથે જ નાનકડા એવા ગામમાં કોવિડ કેર સેન્ટર પણ બનાવાયું છે. ગુંદાળાની આસપાસ જીવાપરા અને નવાગામ આવેલું છે. તેથી ત્રણેયની સંયુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત એક શાળામાં કોવિડ કેર સેન્ટર બનાવાયું છે.