દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિર નજીક એક કામચલાઉ બજારમાં લાગેલી આગમાં 20 દુકાનોને નુકસાન થયું હતું અને ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ અને પ્રત્યક્ષ સાક્ષીઓએ આ અંગે જણાવ્યું હતું. સ્થાનિક પોલીસ વડા અહમદ સંજુર મુર્શીદે જણાવ્યું હતું કે આગને કાબૂ કરવામાં ફાયરમેનને ઘણા કલાકો લાગ્યાં હતાં અને કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
શુક્રવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી અને લોકો ઘટનાના સમયે મ્યાનમારમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે કુતુપાલોંગ કેમ્પમાં સૂઈ રહ્યા હતા. એક દુકાનના માલિક સૈયદુલ મુસ્તફાએ પુષ્ટિ આપી છે કે મૃતકોમાં તેમનો એક કર્મચારી પણ હતો. જોકે, આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ગયા મહિને, કેમ્પમાં ભારે આગને કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 560 લોકો ઘાયલ થયા હતા અને લગભગ 45,000 લોકોને બેઘર કરવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે તે સમયે આગ લાગી જ્યારે લોકો મ્યાનમારમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે કુતુપાલોંગ કેમ્પમાં સૂઈ રહ્યા હતા.
આ વાતની પુષ્ટિ કરતાં એક દુકાનના માલિક સૈદુલ મુસ્તફાએ જણાવ્યું હતું કે મૃતક તેમના કર્મચારી હતા. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારી ઇમદાદુલ હકે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે તેને ત્રણ કલાકથી વધુ સમય સંઘર્ષ કરવો પડ્યો. તેમણે કહ્યું કે બીજા ઘણા લોકો પણ ઘાયલ થયા છે. આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ થઈ નથી.