New Delhi News: આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ત્રણ નવા ન્યાયાધીશો (Justice)ને મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ (CJI B R Gavai) શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિએ ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. અંજારિયા, ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. ચાંદુરકરને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા હતા.
ન્યાયાધીશોની કોઈ જગ્યા ખાલી રહેશે નહીં
મંગળવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે (Arjun Ram Meghwal) તેમની નિમણૂકની જાહેરાત કરી હતી. આ ન્યાયાધીશો શપથ (Oath) લીધા પછી, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સહિત 34 થઈ જશે. ન્યાયાધીશોની કોઈ પણ જગ્યા ખાલી રહેશે નહીં. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે બઢતીની ભલામણ
ચીફ જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળના પાંચ સભ્યોના કોલેજિયમે 26 મેના રોજ યોજાયેલી તેની બેઠકમાં જસ્ટિસ અંજારિયા, જસ્ટિસ બિશ્નોઈ અને જસ્ટિસ ચાંદુરકરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ હૃષિકેશ રોયની નિવૃત્તિ પછી હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ત્રણ જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો:DTH સેવાઓ પર મનોરંજન અને સેવા કર લાદી શકે છે રાજ્ય, સુપ્રીમે સંભળાવ્યો ચુકાદો
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું- મામલો સમગ્ર વકફ મિલકતોના કબજાનો છે…
