Not Set/ ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ

સરકાર જેમ પક્ષીઓ માટે કરૂણા અભિયાન ચલાવે છે તેમ ટુ વ્હીલર ચાલકો માટે પણ પણ રાજ્યવ્યાપી ઝુંબેશ ઉત્તરાયણને અનુલક્ષી શરૂ કરવી જોઈએ

Top Stories Gujarat
Untitled 36 8 ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ
  • પોલીસે ટૂ વ્હીલર ઉપર સુરક્ષા તાર લગાડવાનું શરૂ કરાવ્યું
  • શનિવારે ભોલાવ બ્રિજ ઉપરથી દીકરીને લઈ જતી માતાનું ગળું કપાયું હતું
  • રવિવારે હરિદ્વાર સોસાયટી અને ઝાડેશ્વર રોડ પાસે ટુ વ્હીલર પર જતા 2 વ્યક્તિના દોરોથી ગળા કપાતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
  • કોરોના વચ્ચે માસ્ક સાથે મકરસંક્રાંતિને લઈ ગળાની સુરક્ષા પણ બની અનિવાર્ય

સરકાર જેમ પક્ષીઓ માટે કરૂણા અભિયાન ચલાવે છે તેમ ટુ વ્હીલર ચાલકો માટે પણ પણ રાજ્યવ્યાપી ઝુંબેશ ઉત્તરાયણને અનુલક્ષી શરૂ કરવી જોઈએ. ઓવરબ્રિજ ઉપર બન્ને તરફ દર વખતે લગાવવામાં આવતા કેબલમાં આ વખતે તંત્રે ઢીલ છોડી, વહેલી તકે કેબલ લગાડી વાહનચાલકોને રક્ષણ અપાઇ તે જરૂરી બન્યું છે. ઉતરાયણ ને હજુ પાંચ દિવસની વાર છે તીરે ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી ગળુ કપાવવાની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં અંકિતબેન નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે ઘટનામાં ઘાયલ યુવાન સારવાર હેઠળ છે.

જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરૂણા અભિયાન શરૂ થયું નથી. તે પહેલા જ પતંગના દોરાથી ગળું કપાઇ જવાની 19 કલાકમાં જ સર્જાયેલી 3 ઘટનામાં એક માતાનું મોત થયું છે. તો રવિવારે 2 વ્યક્તિના ગળા કપાતા જીવાદોરી માંડમાંડ બચી હતી. જોકે ઘટનાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દ્વિચક્રી વાહનચાલકોને પોલીસ સમજાવી તેમની સુરક્ષા માટે વાહન પર તાર લગાવડાવી રહી છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ શક્તિનાથ આવી રહ્યાં હતાં. જ્યાંથી તેઓ વેજલપુર સાસરીમાં જવાના હતા. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108 માં અંકિતાબેનને સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે સારવાર મળે તે પેહલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના જ વધુ એક વ્યક્તિનું ગળું કાપી નાખ્યું હતું. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ગળું કપાઈ ગયું હતું. તેઓને 108માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લવાયા હતા. તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.

રવિવારે પતંગ દુરીથી વૃદ્ધનુ ગળુ કપાયુ
જ્યારે ઝાડેશ્વર રોડ ઉપર પણ એક બાઇક ચાલકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચમાં બાઇક સવારોના પતંગના દોરાથી જીવ બચાવવા પોલીસ આગળ આવી છે. શહેરમાં ગણતરીના કલાકમાં જ 3 મોપેડ ચાલકોના ગળા પતંગના દોરાથી કપાઈ જવાની ઘટના બાદ રવિવારથી જિલ્લા પોલીસે વધુ એક અભિયાન હાથ ધર્યું છે. માત્ર કોરોના ગાઈડલાઈન, કાયદાનું પાલન જ નહીં લોકોને કાતિલ દોરા સામે સુરક્ષા કવચ અપાવવા પોલીસ બાઇક ચાલકોને ઉભા રાખી તેમને વાહન આગળ સુરક્ષા તાર લગાવવા આગ્રહ કરાઈ રહ્યો છે.

Untitled 36 7 ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ

સરકાર પણ કરૂણા અભિયાનની જેમ માનવીઓ માટે ઉત્તરાયણ પર્વ ઉપર ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી બચાવવા ઝુંબેશ શરૂ કરે તે જરૂરી બન્યું છે. શહેરમાં ઓવરબ્રિજ ઉપર બન્ને તરફ દર વખતે ઉત્તરાયણએ કેબલ લગાવવામાં આવે છે. જેથી કપાયેલો દોરો પસાર થતા વાહન ચાલક ઉપર ન પડે. જોકે આ વખતે તંત્રે તેમાં ઢીલ છોડતા એક માતાની જિંદગીનો પેચ સમય પહેલા જ કપાઈ ગયો છે.

બ્રાઝિલ /બોટ પર ખડક પડતાં  7 પ્રવાસીઓના મોત, અનેક લોકો ઘાયલ, જુવો વીડિયો…

Life Management / પ્રોફેસરે બરણીમાં કેટલીક વસ્તુઓ મૂકીને પ્રશ્નો પૂછ્યા, વિદ્યાર્થીઓએ દરેક વખતે ખોટા જવાબો આપ્યા

લોહરી 2022 / લોહરી  શા માટે ઉજવવામાં આવે છે  આ તહેવાર સાથે દેવી સતી અને ભગવાન કૃષ્ણની વાર્તાઓ જોડાયેલી છે

Astrology / 8 જાન્યુઆરીએ હનુમાનજી અને શનિદેવ આ રાશિઓને વરસાવશે કૃપા, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય

આસ્થા / 31 જાન્યુઆરી સુધી સાવધાન રહો, ગ્રહોની ચાલથી નુકસાન થઈ શકે છે

મંદિર / ભારત નહીં તો વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં છે?