રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 112 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. બીજી તરફ કોરોનાને 12,11,818 નાગરિકો કોરોનાને માત આપી ચુક્યાં છે. આજે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી, જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 82,326 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. જ્યમાં કુલ 662 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 657 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 1211818 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10938 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
ઉલ્લેખનીય છે કે દેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાનાની લહેર હવે સમાપ્તી તરફ છે,હવે કોરોનાના કેસો નહિવત થતાં હવે રોજગાર ધંધા પણ પહેલાની જેમ ધમધમી ઉઠયા છે. રાજ્યમાં કોરોનાના 58 કસ નોંધાયા છે જેમાંઅમદાવાદમાં 27,વડોદરામાં 7 કેસ ડાંગમાં 5, સુરતમાં 1 નવા કેસ ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 1 કેસ નોંધાયો બનાસકાંઠા, છોટાઉદેપુર અને દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે, આજે એક પણ દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું નથી.