Not Set/ પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાને મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી કરાશે સમ્માનિત

દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે આપેલા સહયોગ માટે મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. જણાવી દઈએ કે, બુધવારે વાલ્મિકી જયંતીના પ્રસંગે વિધાનસભા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના હસ્તે આ એવોર્ડ આપવામાં આવશે. જોકે, આ એવોર્ડ કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા હાજર નહિ […]

Top Stories India
GettyImages 103495351 e1527079604860 પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાને મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી કરાશે સમ્માનિત

દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે આપેલા સહયોગ માટે મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

hd devegowda e1540294943136 પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાને મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી કરાશે સમ્માનિત

જણાવી દઈએ કે, બુધવારે વાલ્મિકી જયંતીના પ્રસંગે વિધાનસભા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના હસ્તે આ એવોર્ડ આપવામાં આવશે.

જોકે, આ એવોર્ડ કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા હાજર નહિ રહે. એમને બુધવારે વિદેશ જવાનો કાર્યકમ નક્કી થયેલો છે. જોકે, દેવગૌડાએ ટ્વિટર પર જણાવ્યું કે, તેઓ લંડન જતા પહેલા મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાને ફુલમાળાથી શણગારીને જશે.

GettyImages 135780105 e1540294983485 પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાને મહર્ષિ વાલ્મિકી જયંતિ એવોર્ડથી કરાશે સમ્માનિત

જણાવી દઈએ કે, એચડી દેવગૌડા ભારતના 11માં પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. એ પહેલા 1994થી 1996 દરમિયાન તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી ચુક્યા છે.