રાજકોટ/ કાલે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ, દેશ-વિદેશમાં 10,008 સ્થળે મહાઆરતી કરાશે

સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
Untitled 54 કાલે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ, દેશ-વિદેશમાં 10,008 સ્થળે મહાઆરતી કરાશે

ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે.

લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે કાલે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો કાલે સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે.

આ  પણ વાંચો :એમ્બ્યુલન્સની અછત /  વડોદરામાં શબવાહિનીને લઈ કરાયેલી RTI માં થયો આ ચોંકાવનારો ખુલાસો

સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા,ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે.

પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમમા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.

આ પણ  વાંચો:અમદાવાદ /  અસલાલી પાસેથી મળ્યા બે મૃતદેહ, એક ઝાડ પર લટકતો તો બીજો તળાવમાંથી મળતા ચકચાર