સુરત/ ઓલપાડમાં કરૂણ ઘટના, જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતા 3 વર્ષની બાળકીનું મોત

એરથાણ ગામમાં બુધવારે રાત્રે હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાટમાળની નીચે પરિવારના છ સભ્ય દબાતાં એક બાળકીનું મોત

Gujarat
ધરાશાયી

સુરતના ઓલપાડમાં મકાન ધરાશાયી થતાં બાળકીનું મોત થયું છે. એરથાણ ગામમાં બુધવારે રાત્રે હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાટમાળની નીચે પરિવારના છ સભ્ય દબાતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના એરથાણ ગામમાં બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનની નીચે પરિવારના 6 સભ્ય દબાયા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

a 178 ઓલપાડમાં કરૂણ ઘટના, જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતા 3 વર્ષની બાળકીનું મોત

ઘટનાને પગલે ગામના લોકો દોડી આવ્યા હતા. અને દબાયેલા લોકોને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. આ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ 108 પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણ જણાને બહાર કાઢી સાયણની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ત્રણ વર્ષની બાળકી પાયલનું મોત નીપજ્યું હતું. બાળકીના મોત બાદ સમગ્ર પંથમાં ચકચાર મચી હતી. આ ઘટના બાદ 108 અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી કાટમાળ ખસેડી દબાયેલા લોકોને બચાવી શકાય. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનીતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી. જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

આ પણ વાંચો : રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 લોકો ગંભીર રીતે દાઝ્યા

ગામના એક યુવાન તુષારભાઈએ પવન નામના આશરે ત્રણેક વર્ષના બાળકને સમયસૂચકતા વાપરી બચાવી લીધો હતો. બાળકને બહાર કાઢતાં શરૂઆતમાં તેના ધબકારા ધીમે ચાલતા હતા. બાળકને બચાવવા તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી. બાળકને મોંથી શ્વાસ આપી પોતાની કારમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને બાળકનો જીવ જે-તે સમયે બચી જતાં સ્મીમેરમાં દાખલ કરાયો હતો.

a 179 ઓલપાડમાં કરૂણ ઘટના, જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતા 3 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો :  કચ્છમાં અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ દેખાયું, 6 લોકોના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યાં

એરથાણના હળપતિ વાસમાં ઘણા સરકારી આવાસો જર્જરિત થઈ ગયા છે,સ્થાનિકો દ્વારા અવાર નવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં તંત્ર દ્વારા વાત ગંભીરતા થી ન લેતા આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું . ઘટના ને કલાકો વીત્યા છતાં સરકારના કોઈ અધિકારીઓ ન આવતા પરિવારજનો તેમજ સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  વિવિધ રેલ્વે ફાટકની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા