નવી દિલ્હીઃ કાનપુર પાસે બુધવારે ફરિ એક મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી હતી. સવારે 5:45 મિનિટે કાનપુરના રૂરા સ્ટેશન પાસે સિયાલદહ-અજમેર એક્સપ્રેસસના 15 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોન મોત અને 60 લોકો ઘાયલ થયા હતા. અંદાજે 8 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચીને રેલવે તરફથી રાહત ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક જાણકારીના આધારે જણાવવામાં આવી રહ્યુ છે. પુલ પારકરતી વખતે બે ડબ્બા નહેરમાં પડી ગયા હતા.
સૂ્ત્રોના જણાવ્યા અનુસાર કાનપુરથી 50 કિમી દૂર દુર્ઘટના બની હતી. જેમા સ્થાનિક લોકોએ લોકોની મદદ કરી હતી.