ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ રેબતી મોહન દાસે ગુરુવારે અચાનક અંગત કારણો દર્શાવીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. હોવાનું જાણવા મળેલ છે જે અંતર્ગત આ માહિતી એક અધિકારીએ આ માહિતી આપી હતી .પુરા વિધાનસભા સચિવ બિષ્ણુ પાડા કર્માકરે IANS ને જણાવ્યું કે દાસે ડેપ્યુટી સ્પીકર બિસ્વા બંધુ સેનને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
આ પણ વાંચો :સિવિલ હોસ્પિ. ખાતે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડીયો
તેઓ દાસ CPI ના ભૂતપૂર્વ નેતા છે જે 2016 માં ભાજપમાં જોડાયા હતા અને 2018 ની ચૂંટણીમાં પશ્ચિમ ત્રિપુરાના પ્રતાપગઢ વિધાનસભા ક્ષેત્રમાંથી ભગવા પક્ષની ટિકિટ પર રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા હતા.પ્રદેશ પ્રમુખ માણિક સાહા અને મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો
આ પણ વાંચો :ખાનગી વીજકંપનીની બેદરકારીથી વીજપોલ તુટ્યો, 12 જેટલા અબોલ પશુઓના મોત
ત્રિપુરામાં શાસક ભાજપના ધારાસભ્યો અને નેતાઓના ખુલ્લા આક્રોશ વચ્ચે, ભાજપ -આઈપીએફટી જોડાણના પ્રથમ વિસ્તરણમાં મંગળવારે ત્રણ નવા ચહેરા – રામ પ્રસાદ પોલ, સુશાંત ચૌધરી, ભગવાન ચંદ્ર દાસને ત્રિપુરા કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે . 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી પક્ષોને હરાવીને પાર્ટી સત્તા પર આવી હતી.
આ પણ વાંચો :તળાવમાં ડૂબી રહેલ યુવતીને બચાવવા જતા યુવક પણ ડૂબ્યો, થયું મોત