રાજકોટ/ રેડીમેડનો શો રૂમ ધરાવતા વેપારીનો ગળે ફાંસો ખાઈ સજોડે આપઘાત

રાજકોટના ક્રિસ્ટલ હેવલ એપાર્ટમેન્ટના 12મા માળે રહેતા અને રેડીમેડનો શો રૂમ ધરાવતા વેપારીએ સજોડે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. દંપત્તિનું આપઘાત કરવાનું કારણ અકબંધ છે. અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

Gujarat Rajkot
ગળે ફાંસો

રાજ્યમાં સતત અપમૃત્યુના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કાળ બાદ આવી દુઃખદ ઘટનામાં વધારો થયો છે. રાજકોટ વેપારીએ પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ક્રિસ્ટલ હેવલ એપાર્ટમેન્ટના 12મા માળે રહેતા અને રેડીમેડનો શો રૂમ ધરાવતા વેપારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. દંપત્તિનું આપઘાત કરવાનું કારણ અકબંધ છે. અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

nitish kumar 10 રેડીમેડનો શો રૂમ ધરાવતા વેપારીનો ગળે ફાંસો ખાઈ સજોડે આપઘાત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર આર્થિક તંગીને લઇ વૃદ્ધ દંપતી ગોપાલભાઇ ચાવડા અને તેમના પત્ની નિર્મલાબેન ચાવડાએ સજોડે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું છે. ગોપાલભાઈ રેડીમેઇડનો શો રૂમ ધરાવતા હતા. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક ગોપાલભાઈ રેડીમેડ કપડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. પરંતુ કોરોનામાં લોકડાઉનના કારણે મોટું નુકસાન થતા આર્થિક સંકડામણ વધી ગઈ હતી. જેના કારણે આપઘાત કર્યાનું મૃતકના પુત્રએ પોલીસ નિવેદન જણાવ્યું છે.

 

રાજકીય વિશ્લેષણ / નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

વિશ્લેષણ / દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

અવસાન / વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

શાળાઓ /  આજ થી રાજય માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરાયા

મહામારીનો ડર / કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક