Tunisha Sharma Hijab: પોલીસ તુનિષા શર્માના મોતનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે. આ દરમિયાન પોલીસ તુનિશાની ટીવી સીરિયલ ‘અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ’ના કલાકારો સાથે અને પરિવારના સભ્યો સાથે પણ પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ દરમિયાન તુનિશાના મામાએ પોલીસને એવી વાત કહી, જે જાણીને તમે ચોંકી જશો. તુનીષાના મામા (પવન શર્મા)એ જણાવ્યું કે તુનિષાના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો હતો. તેણીએ હિજાબ પણ પહેરવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. આ દરમિયાન, રાહતની વાત એ છે કે કોર્ટે શીજાનની પોલીસ કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવી છે.
આ સાથે તુનીષા શર્માના મામા પવન શર્માએ તુનિષાના મોતને લઈને લવ જેહાદની આશંકા વ્યક્ત કરી છે. પવન શર્માએ તુનિષા હિજાબ પહેરી હોવાની વાત કરી હતી અને સોશિયલ મીડિયા પર તુનિષાની હિજાબ પહેરેલી તસવીર પણ છે. જેમાં તે શીજાન સાથે જોવા મળી રહી છે અને કેમેરા સામે હસી રહી છે. શીજાનને 30 ડિસેમ્બરે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન તુનિષા શર્માના મૃત્યુની થોડી મિનિટો પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે શીજાન તેના સહ કલાકારો સાથે તુનિષાને ફાંસી આપ્યા બાદ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. હાલમાં અભિનેત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તુનિશાનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. જ્યારે શીજાનના પરિવારના સભ્યો શીજાનના બચાવમાં નિવેદનો આપી રહ્યા છે, ત્યારે તુનિશાની માતા સખત સજાની માંગ કરી રહી છે. દીકરીને ગુમાવવાના શોકમાં તુનિષાની માતા અનેકવાર બેભાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Cricket/આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક આપીને સિલેક્ટરોએ પોતાના પગ પર કુલ્હાડી મારી
આ પણ વાંચો: icc rankings/ભારતના આ બે ખેલાડીઓ બન્યા વિશ્વના ટોચના ઓલરાઉન્ડર, જાણો રેન્કિંગ
આ પણ વાંચો: RBI/તમે તમારા બેંક એકાઉન્ટમાં સિક્કા જમા કરાવી શકો છો, જાણો આ છે RBIનો નિયમ