દેશનાં રાજકારણમાં ફરી એકવાર ‘ટૂકડે-ટૂકડે ગેંગ’ જેવા શબ્દોનો ઉપયોગ શરૂ થયો છે. હવે રાષ્ટ્રપિતાનાં પૌત્ર તુષાર ગાંધીએ આ વિશે ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું છે કે, ‘હાલમાં ટૂકડ-ટૂકડે ગેંગ કેન્દ્રની સત્તા પર છે.’ તેમણે ભાજપનાં અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદન બાદ આ ટ્વિટ કર્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ ગેંગને સજા કરવાનો સમય આવી ગયો છે. અમિત શાહે ગુરુવારે દિલ્હીનાં કડકડ્ડૂમા વિસ્તારમાં ડીડીએ ઇસ્ટ દિલ્હી હબનાં ઉદ્ઘાટન સમારોહમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાએ ટૂકડે-ટૂકડે ગેંગને પાઠ ભણાવવો જોઈએ. આ સાથે શાહે પોતાના ભાષણમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
આપને જણાવી દઈએ કે, દેશનાં ઘણા ભાગોમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) સામે વિરોધ થઈ રહ્યો છે. સીએએનો વિરોધ કરનારાઓમાં તુષાર ગાંધીનો પણ સમાવેશ થાય છે. તે આ કાયદાનાં વિરોધમાં પણ સામેલ હતા. અગાઉ, વીર સાવરકર વિશેનાં નિવેદનો વચ્ચે તુષાર ગાંધીએ કહ્યું હતું કે, તેઓ (સાવરકર) આઝાદીનાં સૈનિક નહીં, પણ માંફીનાં લેખક હતા.
અયોધ્યા કેસમાં પણ તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “આજે સુપ્રીમ કોર્ટમાં ગાંધીની હત્યા કેસમાં સુનાવણી હોત, તો નિર્ણય લેવામાં આવ્યો હોત કે નાથુરામ ગોડસે એક ખૂની છે, પરંતુ તે દેશભક્ત પણ છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.