Not Set/ નિર્ભયા કેસ/ પટિયાલા હાઉસ કોર્ટે બે દોષિતોની અરજી ફગાવી

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં આજે બે દોષિતોની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં દોષિતોના વકીલે કોર્ટને તિહાર જેલમાંથી દયાની અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપવા માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષની સુનાવણી કર્યા બાદ અરજીને ફગાવી દીધી હતી. નિર્ભયા ગેંગરેપ કેસમાં સરકારી વકીલે અદાલતને જણાવ્યું હતું કે તિહાર જેલના અધિકારીઓએ તેમને દોષિતો માટે સલાહકાર […]

Top Stories India
nirbhaya નિર્ભયા કેસ/ પટિયાલા હાઉસ કોર્ટે બે દોષિતોની અરજી ફગાવી

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં આજે બે દોષિતોની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં દોષિતોના વકીલે કોર્ટને તિહાર જેલમાંથી દયાની અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપવા માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષની સુનાવણી કર્યા બાદ અરજીને ફગાવી દીધી હતી.

નિર્ભયા ગેંગરેપ કેસમાં સરકારી વકીલે અદાલતને જણાવ્યું હતું કે તિહાર જેલના અધિકારીઓએ તેમને દોષિતો માટે સલાહકાર દ્વારા માંગવામાં આવેલ તમામ સંબંધિત દસ્તાવેજો પૂરા પાડ્યા છે. દોષી વિલંબની યુક્તિ અપનાવી રહ્યા છે. તે જ સમયે, દોષિત વિનય શર્માના વકીલે અદાલતને જણાવ્યું હતું કે તેના ક્લાયંટને ધીરેથી ઝેર આપવામાં આવ્યું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ તબીબી અહેવાલ આપવામાં આવ્યો નથી. કોર્ટે આ મામલે કહ્યું હતું કે સ્પષ્ટ કહ્યું કે, આગળ કોઈ માર્ગદર્શિકાની જરૂર નથી. કોર્ટે દોષિતની અરજી નામંજૂર કરી દીઘી છે.

આપને જણાવી દઇએ કે, નિર્ભયા ગેંગરેપના દોષિતો, પવન અને અક્ષયની અરજી પર શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. બંનેનાં વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તિહાર જેલ દ્વારા દયાની અરજી અને અક્ષય અને પવન માટે ક્યુરેટીવ પીટિશન દાખલ કરવા માટેના કાગળો હજી સુધી આપવામાં આવ્યા નથી.

દોષિતનાં વકીલે અદાલતમાં દાવો કર્યો છે કે, જેલ વહીવટીતંત્રે અક્ષયકુમાર સિંહ (31) અને પવન સિંઘ (25) ને ક્યુરેટીવ પીટિશન કરવા માટે જરૂરી દસ્તાવેજો સોંપ્યા નથી. શનિવારે અરજી પર સુનાવણી થવાની સંભાવના હતી, જે આજે કરવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ અન્ય બે દોષિતો વિનયકુમાર શર્મા (26) અને મુકેશસિંહ (32) ની સુધારાત્મક અરજીને રદ કરી હતી. કોર્ટના આદેશ મુજબ ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવાની છે.

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર, 2012 ના રોજ, 23 વર્ષીય પેરામેડિકલની વિદ્યાર્થી પર દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. આ સંગીન ગુનાનાં કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.