Udhampur Encounter Update September: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા છે. મજાલતા વિસ્તારમાં 16 અને 17 સપ્ટેમ્બર 2026ની મધ્યરાત્રિ દરમિયાન આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જંગલ વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલ અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશન હાથ ધર્યું હતું.
કશ્મીર ટાઈગર્સ સાથે જોડાણની આશંકા
સુરક્ષાદળોની પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા પ્રોક્સી સંગઠન ‘કશ્મીર ટાઈગર્સ’(Jammu- Kashmir) સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. ઓપરેશન દરમિયાન ખરાબ હવામાન, મુશ્કેલ પહાડી ભૂપ્રદેશ અને ઓછી દૃશ્યતા જેવા પડકારો વચ્ચે પણ સુરક્ષાદળોએ કાર્યવાહી ચાલુ રાખી હતી. અથડામણ બાદ ઘટનાસ્થળેથી મૃતદેહો ઉપરાંત હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હોવાનું જણાવાયું છે.
જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત
અથડામણ બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. જંગલ વિસ્તારમાં અન્ય કોઈ આતંકી(Jammu- Kashmir) છુપાયેલા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાદળો સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી રહ્યા છે.
મજાલતા વિસ્તારમાં અગાઉ પણ થઈ હતી કાર્યવાહી
મજાલતા વિસ્તાર સુરક્ષાદળો માટે અગાઉ પણ મહત્વપૂર્ણ રહ્યો છે. આ જ વિસ્તારમાં અગાઉ ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાયેલા એક ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, થોડા દિવસો પહેલાં બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા(Jammu- Kashmir) સાથે જોડાયેલા એક કમાન્ડર સામે પણ સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી. ઉધમપુરની તાજેતરની અથડામણ બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર
આ પણ વાંચો:રાજસ્થાનના ટોંકમાં ATS ના મોટા દરોડા; આતંકી કનેક્શનના શંકાસ્પદ બે યુવકો ઝડપાયા
આ પણ વાંચો:પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પર જ આતંકી હુમલા, 4 પોલીસકર્મીઓનાં મોત
