Pride/ ગૌરવના બે વર્ષ , આતંકીઓના ઘરમાં ઘુસીને બતાવ્યો ભારતનો દમ

ગૌરવના બે વર્ષ, આતંકીઓના ઘરમાં ઘુસીને બાતાવ્યો ભારતનો દમ

India Trending
corona 60 ગૌરવના બે વર્ષ , આતંકીઓના ઘરમાં ઘુસીને બતાવ્યો ભારતનો દમ

14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અને જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. જેને બદલો ભારતે માત્ર 12 દિવસમાં જ લીધો હતો. અને આજે આ બાલાકોટ એરસ્ટ્રાઈકને બે વર્ષ પુર્ણ થયા છે.

  • 40 જવાનોની શહીદીનો બદલો લીધો ભારતે
  • શહીદીનો બદલો PoKમાં એર સ્ટ્રાઈકથી લીધો
  • 14 ફેબ્રુઆરી, 2019નો કાળો દિવસ
  • શહીદ થયા હતા ભારતના 40 વીર જવાનો
  • પુલવામા હુમલાનો બદલો લીધો ભારતી સેનાએ
  • આતંકીઓના ઘરમાં ઘુસીને બાતાવ્યો ભારતનો દમ

14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. નિશાન પર હતો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 78 વાહનોનો કાફલો. વિસ્ફોટમાં 40 જવાન શહીદ થયા હતા. આ અંગે સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લહેર હતી. આ આતંકી હુમલો સામાન્ય ચૂંટણી અગાઉ જ થયો હતો અને આ ઘટના અંગે રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો હતો.

अभिनंदन और बालाकोट के बांकुरों ने आसमान में दिखाया दम, एयरफोर्स डे पर गरजे फाइटर जेट - indian air force wing commander abhinandan balakot air strike air force day - AajTak

જોકે બે સપ્તાહ પછી જ 26 ફેબ્રુઆરી, 2019ના રોજ મંગળવારે રાતે આશરે 3 કલાકે ભારતીય વાયુ સેનાના 12 મિરાજ 2000 ફાઈટર જેટ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કરીને પાકિસ્તાનની સરહદમાં દાખલ થયા હતા અને બાલાકોટ ખાતે આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી તે ઘટના બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખાઈ રહી છે.

  • આતંકીઓએ કર્યો ભારત પર કાયરોની જેમ હુમલો
  • ભારતો અપ્યો હતો તેનો ખતરનાક જવાબ
  • બાલાકોટ એરસ્ટ્રાઈકમાં 300 આતંકી માર્ય ગયા

સરકારી દાવા પ્રમાણે મિરાજ 2000એ આતંકવાદીઓના અડ્ડા પર આશરે 1,000 કિલોના બોમ્બ વરસાવ્યા હતા જેમાં આશરે 300 આતંકવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાનને ભારત આ પ્રકારની કોઈ કાર્યવાહી કરશે તેનો અણસાર પણ નહોતો આવ્યો. આ ઘટનાના 12 દિવસ પહેલા પુલવામા ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર આ હુમલો કર્યો હતો. ભારતે દાવો કર્યો કે ડોગ ફાઈટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ પાકિસ્તાની વાયુસેનાના એફ-16ને તોડી પાડ્યું. પાકિસ્તાને પણ મિગ-21ને તોડી પાડ્યું અને વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરી લીધી. જો કે દબાણમાં બે દિવસ પછી તેમને મુક્ત કરી દેવાયા.

Wing Commander Abhinandan Varthaman,Vir Chakra,Balakot Air Strike 2019 - विंग कमांडर 'अभिनंदन' को मिल सकता है देश का ये बड़ा सम्मान, मार गिराया था PAK का एफ-16 लड़ाकू विमान ...

દેશમાં ભારતીય વીરો પર થયેલી આ ઘટના બાદ જાકે સમગ્ર દેશ એક જુથ થઈ ગયું હતુ. અને દેશમાં આતંકીઓ માટે   દુઃખ અને આક્રોશની લહેર ફરી વળી હતી. અને ત્યાર બાદ માત્ર 12 જ દિવસમાં સેનાએ ભારતીય જવાનોના શહીદીનો બદલો આતંકીઓના ઘરમાં ઘુસીને લીધો હતો. તો આ ઘટનાને આજે 2 વર્ષ પુર્ણ થયા છે.  અને આજે પણ સમગ્ર દુનિયા ભારતના આ બદલાને યાદ કરે છે. અને ક્યાકને ક્યાક માને પણ છે કે જો ભારતે છંછેડવામાં આવશે તો ભારત ઘરમાં ઘુસીને પણ મારવમાં પણ શરમ નહિ કરે.