ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે, કેન્દ્રીય મંત્રી અશ્વનીકુમાર ચૌબેએ બિહારનાં પોલીસ અધિકારી પર ગુસ્સે થયા હતા અને તેમને “તેમની વર્દી ઉતારી” દેવાની ધમકી આપી હતી. આ ઘટના ત્યારે કૈદ થઇ કે જ્યારે ભાજપનાં નેતા અને કેન્દ્રીય મંત્રી ચૌબે બિહારનાં જનતા દરબાર યોજી રહ્યા હતા, આ તેમનો સંસદીય મત વિસ્તાર છે.
આપને જણાવી દઇએ કે, જાહેર સભામાં પાર્ટીનાં કાર્યકર્તાએ કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરી હતી કે પોલીસ અધિકારીએ તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ચૌબેએ પોલીસ અધિકારીને બોલાવી અને પાર્ટી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવા બદલ જાહેરમાં ધમકાવ્યા, જો કે અહી પોલીસ કર્મચારીએ ફક્ત પોતાની ફરજ બજાવી હતી.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર ચૌબે એક પોલીસ અધિકારીની સામે ઉચા શ્વરે બોલી રહ્યા છે. ચૌબેએ ભાજપનાં કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બદલ પોલીસ અધિકારીને દરેકની સામે ધમકી આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.