Not Set/ વલસાડ : વરસાદે વિરામ લેતા, રોગચાળાએ ઉચક્યું માથું, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

વલસાડ શહેરમાં  વરસાદે વિરામ લેતા રોગચાળાએ માથું ઉચક્યું છે. એક મહિનામાં 1200 થી 1500 જેટલા દર્દી ઓ ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે વલસાડ નગર પાલિકા નું આરોગ્ય વિભાગ ખાડે ગયું હોય એમ દેખાય રહ્યું છે. વલસાડ શહેરમાં નગર પાલિકા દ્વારા આ રોગચાળાને કાબુમાં લેવા માટે કોઈ જ  સફાઈ અભિયાન કે […]

Top Stories Gujarat Others

વલસાડ શહેરમાં  વરસાદે વિરામ લેતા રોગચાળાએ માથું ઉચક્યું છે. એક મહિનામાં 1200 થી 1500 જેટલા દર્દી ઓ ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે વલસાડ નગર પાલિકા નું આરોગ્ય વિભાગ ખાડે ગયું હોય એમ દેખાય રહ્યું છે.

વલસાડ શહેરમાં નગર પાલિકા દ્વારા આ રોગચાળાને કાબુમાં લેવા માટે કોઈ જ  સફાઈ અભિયાન કે આની કામગીરીમાં ઉદાસીનતા વર્તાઇ રહી છે. શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. વરસદમાં ભરાયેલા પાણી તો ઓસરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ પાલિકા તંત્ર દ્વારા સફાઈની કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

જો પાલિકા દ્વારા આ અંગે કોઈ કામગીરી ના કરવામાં આવી તો અત્યારે દરરોજ આશરે 200 થી 300 નવા દર્દીનો શહેરની હોસ્પીટલમાં ઉમેરો થઈ રહ્યો છે. આવનારા દિવસો માં શહેર ની હોસ્પિટલ દર્દી ઓથી ઉભરાઈ આવે તો એ વાત ની નવાઈ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.