Vande Bharat: દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતને લઈ યાત્રાળુઓની સાથે સાથે રેલ્વે પણ ઘણું ઉત્સાહિત રહેતું હોય છે. વંદે ભારત ટ્રેનની સુવિધાને કારણે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. આખરે ભારે માગને કારણે હવે જલ્દીથી એર્નાકુલમ-બેંગ્લોર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડતી નજર આવશે.
એર્નાકુલમ માર્શલિંગ યાર્ઢમાં પિટ લાઈનમાં ઈલેક્ટ્રિકસિટીનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેન દોડતી થઈ જશે. કેરળ માટે ત્રીજી વંદે ભારત ટ્રેનની રાહ જોવાઈ રહી છે. 8 કોચવાળી ટ્રેનના રેકને કોલ્લમમાં મૂકવામાં આવ્યો છે.
હાલ યાર્ડમાં કામ ચાલુ છે. આચારસંહિતા સમાપ્ત થતાં બેંગ્લોર માટે વંદે ભારત એક્સપ્રેસ સેવા થવાની પૂરી સંભાવના છે. ટ્રેન સવારે 5 વાગ્યે એર્નાકુલમથી રવાના થશે, 1.35 વાગ્યે બેંગ્લોર પહોંચશે. બેંગ્લોરથી બપોરે 2.05 વાગ્યે રવાના થશે, જે રાત્રે 10.45 એ એર્નાકુલમ પહોંચશે. જે વાયા ત્રિશૂર, પલક્કડ, કોઈમ્બતૂર, ઈરોડ, સેલમ જેવા સ્ટેશન પર રોકાશે.
આ પણ વાંચો:મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?
આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ
આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી