ચામડીની એલર્જી/ એલર્જીથી થતી વિવિધ સમસ્યાઓ અને તેના કુદરતી ઉપચારો

એલર્જી ને જડ મૂળ થી દૂર કરવાના કુદરતી ઉપાયો

Health & Fitness Lifestyle
EP 28 Skin Allergy એલર્જીથી થતી વિવિધ સમસ્યાઓ અને તેના કુદરતી ઉપચારો

🤧એલર્જી થી થતી વિવિધ સમસ્યાઓ અને તેના કુદરતી ઉપચારો :

એલર્જી શરીર ની અંદર અનેક સમસ્યા ઓ ને નોતરે છે. વાતાવરણ માં રહેલા ધૂળ ના રજકણો, પોલન, ઘણી વખત અમુક આહાર , દવાઓ, જીવાત વગેરે એલર્જી ની તકલીફો કરે છે. અમુક વ્યક્તિ ઓ નું શરીર આ પદાર્થો સામે વધુ સંવેદનશીલ હોય છે અને માટે જ તેમની અંદર સામાન્ય શરદી , ખાસી ની તકલીફો, નાક માંથી સતત પાણી વહેવું, ક્યારેક નાક બંધ થઈ ગયું હોય તેમ લાગવું, ખંજવાળ આવવી, અશક્તિ નો અનુભવ થવો, આંખ માં બળતરા થવા, આંખો લાલ થઇ જવી, ગાળા માં ખારાશ અનુભવાવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. શરીર નું આ પ્રકારનું અજુગતું રીએકશન ઘણી વખત વારસાગત પણ હોઈ શકે છે.

Image result for allergy

એલર્જી ને જડ મૂળ થી દૂર કરવાના કુદરતી ઉપાયો

🤧૧. એલર્જી ની તકલીફ માં રાહત મેળવવાં માટે તાજા ફાળો અને શાકભાજી ના રસ જેવાકે સફરજન, ગાજર , બીટ, પાલક , આદુ વગેરે તથા મધ પણ ફાયદાકારક સાબિત થાય છે.

🤧૨. કઇ વસ્તુ અને પદાર્થ ની એલર્જી છે તે જાણવું સૌથી જરૂરી છે. કારણભૂત પદાર્થ ને જાણી તેને સમયપૂર્તું આહાર અને વાતાવરણમાંથી દૂર કરવું જરૂરી છે. લોહીની તપાસ પરથી પણ વ્યક્તિને શેની એલર્જી છે તે જાણી શકાય છે .

Image result for allergy

🤧૩. ઘણી વખત સમયાંતરે ઉપવાસ અને એક કે બે દિવસ સુધી ફક્ત ફળો અને બાફેલા શાકભાજી ને જ લેવા થી શરીર ને એલર્જી અને હાનિકારક પદાર્થો માંથી મુક્ત કરી શકાય છે.

🤧૪. શટ ક્રિયા ઓ જેવી કે જલ નેતી, સૂત્ર નેતી, નૌલી, કપાલ ભાતિ, વસ્ત્ર ધાઉતી વગેરે શરીર માંથી એલર્જી ને દૂર કરવામાં સહાયક બને છે.

🤧૫. વિવિધ આસનો જેવા કે પશ્ચિમોત્તાનાસન , હલાસન, સર્વાંગાસન , શીર્ષાસન, ધનુરાસન, ભુજંગાસન, મત્સ્ય આસન વગેરે એલર્જી ને દૂર કરવામાં ઘણા જ ઉપયોગી છે.

Image result for allergy

🤧૬. વિટામીન સી યુક્ત આહાર રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ એલર્જી ની તકલીફો માં રાહત મેળવવાં માં ખુબજ ફાયદકારક છે.

🤧૭. નાસ લેવાથી શ્વસનતંત્ર ની એલર્જી ની તકલીફો માં રાહત મળે છે.

Image result for allergy

એલર્જી ની મોટાભાગ ની સમસ્યાઓ વારસાગત હોય છે તથા શરીર અમુક આહાર કે પદાર્થો થી સંવેદનશીલ હોય ત્યારે જોવા મળે છે ..
આ સમસ્યાઓ ને ઘરગથ્થુ ઉપચારો, જીવનશૈલી માં સામાન્ય ફેરફારો કરવાથી તથા હોમિયોપથી ની સારવાર થી કાયમી મટાડી શકાય છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની