Entertainment News/ બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Entertainment Trending Breaking News
Image 2025 04 04T082907.381 બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Entertainment News: બોલિવુડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર (Manoj Kumar)નું 87 વર્ષની વયે અવસાન (Passes away) થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનોજ કુમાર ભારતીય સિનેમા (Indian Cinem)માં ‘ભરત કુમાર’ તરીકે જાણીતા છે. મનોજ કુમારના મૃત્યુના સમાચારથી સ્ટાર્સ અને ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Manoj Kumar Death: Bollywood's 'Bharat Kumar' Passes Away at 87 - Oneindia News

દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા

હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા તબીબી પ્રમાણપત્ર મુજબ મનોજ કુમાર મૃત્યુ હ્રદયરોગ, ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસનું કારણ રજુ કર્યુ છે. તમને જણાવી દઈએ કે 24 જુલાઈ 1937 ના રોજ જન્મેલા મનોજ કુમાર (Manoj Kumar)નું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. ફિલ્મોમાં આવ્યા પછી, તેમણે પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખ્યું. મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો (Patriotic Films) માટે જાણીતા હતા. આ કારણોસર તેમને બોલિવૂડના ‘ભરત કુમાર’ કહેવામાં આવતા હતા.

મનોજ કુમાર આ ફિલ્મો માટે જાણીતા હતા

મનોજ કુમાર અભિનયની સાથે તેમના ઉત્તમ દિગ્દર્શન માટે પણ જાણીતા છે. તેમણે ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં અભિનય જ નહીં પરંતુ તેનું દિગ્દર્શન પણ કર્યું. ફિલ્મોની વાત કરીએ તો મનોજ તેની ‘શહીદ’, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’, ‘દસ નંબરી’ અને ‘ક્રાંતિ’ માટે જાણીતા છે. એટલું જ નહીં, ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે, મનોજ કુમારને 1992 માં પદ્મશ્રી (Padma shree) અને 2015 માં દાદાસાહેબ ફાળકે (Dadasaheb Phalke) પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Bollywood's Veteran Actor Manoj Kumar Passes Away At 87

તેમનો જન્મ બ્રિટિશ ભારતના ઉત્તરપશ્ચિમ પ્રાંત (હાલમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા તરીકે ઓળખાય છે) ના એબોટાબાદ શહેરમાં એક પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ અભિનેતાનું જન્મ નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર ભાગલાને કારણે જંડિયાલા શેરખાનથી દિલ્હી સ્થળાંતર થયો.

મનોજ કુમારે ‘સહારા’ (1958), ‘ચાંદ’ (1959) અને ‘હનીમૂન’ (1960) જેવી ફિલ્મોમાં કામ કર્યું અને પછી તેમને ‘કાંચ કી ગુડિયા’ (1961) મળી જેમાં તેઓ પહેલી વાર મુખ્ય ભૂમિકામાં દેખાયા. આ પછી ‘પિયા મિલન કી આસ’ (1961), ‘સુહાગ સિંદૂર’ (1961), ‘રેશ્મી રૂમાલ’ (1961) આવી.

सुप्रसिद्ध अभिनेते पद्मश्री मनोज कुमार यांचं निधन : वयाच्या 87 व्या वर्षी घेतला अखेरचा निरोप

તેમની પહેલી રિલીઝ દેશભક્તિ ફિલ્મ ‘શહીદ’ હતી, જે સ્વતંત્રતા સેનાની ભગતસિંહના જીવન પર આધારિત હતી. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તેમજ ભારતના તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તરફથી પ્રશંસા મળી હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને ‘જય જવાન જય કિસાન’ ના લોકપ્રિય સૂત્ર પર આધારિત ફિલ્મ બનાવવા કહ્યું. ત્યારબાદ તેમણે દેશભક્તિ ફિલ્મ ‘ઉપકાર’ (1967) બનાવી, જેને વિવેચકોની પ્રશંસા મળી અને તે વર્ષે બોક્સ ઓફિસ પર હિટ રહી, જે એક સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મ બની. આ ફિલ્મનું સંગીત 1960ના દાયકાનું છઠ્ઠું સૌથી વધુ વેચાતું હિન્દી ફિલ્મ આલ્બમ હતું. ભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ‘ઉપકાર’ ફિલ્મનું એક ગીત ‘મેરે દેશ કી ધરતી’ વગાડવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક, વરિષ્ઠ પત્રકાર, કવિ પ્રિતેશ નંદીનું 73 વર્ષની વયે થયું અવસાન

આ પણ વાંચો:કાર્બન મોનોક્સાઇડ લીક થવાથી અભિનેત્રી અને મોડલ ડેલે હેડનનું અવસાન

આ પણ વાંચો:જાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાન