વેસ્ટ ઇન્ડિઝની ટૂર પર રવાના થતાં પહેલા વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. આ પહેલા મીડિયામાં વિરાટ અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એવા સમાચાર પણ હતા કે તેના લીધે કોહલી કદાચ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે.
જોકે, તમામ અફવાઓ વચ્ચે સાંજે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી મુંબઇમાં પત્રકારો સમક્ષ હાજર થયા અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુક્યું હતું. રોહિત સાથેના મતભેદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા કોહલીએ કહ્યું, “જો હું કોઈ વ્યક્તિ વિશે અસુરક્ષિત છું, તો તમે તેને મારા ચહેરા પર સ્પષ્ટ પણે જોઇ શકો છો. મેં હંમેશાં રોહિતની પ્રશંસા કરી છે, કારણ કે તે સારો છે.
અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી. મને નથી ખબર કે આ જુઠ્ઠાણા પાછળ કોણ કામ કરી રહ્યું છે. અમે ક્રિકેટને ઉપર લાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ટીમને ટોચ પર લાવવા સખત મહેનત કરી છે અને ચાર વર્ષ પછી આપણે આ વિશે વાત કરી રહ્યા છીએ. મીડિયાએ જોવાની જરૂર છે કે કોઇ કંઈક એવું બનાવી રહ્યું છે. જેકે, જે છે જ નહી. હવે સમય છે કે આપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ન કે એવા મુદ્દાઓ પર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.