Pakistan/ ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છીએ છે,યુદ્વએ કોઇ વિકલ્પ નથી : પાકિસ્તાન PM શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હાર્વડ યુનિવર્સિટીના વિધાર્થીઓને સંબોધતા  ભારત  અંગે અનેક બાબતો પર ખુલાસા કર્યા હતા.

Top Stories World
7 33 ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છીએ છે,યુદ્વએ કોઇ વિકલ્પ નથી : પાકિસ્તાન PM શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હાર્વડ યુનિવર્સિટીના વિધાર્થીઓને સંબોધતા  ભારત  અંગે અનેક બાબતો પર ખુલાસા કર્યા હતા. આ મામલે તેમણે અનેક બાબતો પર છુલ્લા મનથી ચર્ચા કરી હતી. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “કાયમી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે બંને દેશો માટે યુદ્ધએ વિકલ્પ નથી. શાહબાઝ શરીફે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત કરતા કહ્યું કે યુએનના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સાથે જોડાયેલો છે,

વડાપ્રધાન શરીફે શુક્રવારે સાંજે કહ્યું કે, “પાકિસ્તાન આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.” સમાચાર અનુસાર, તેમણે કહ્યું, ‘અમે વાતચીત દ્વારા ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ કારણ કે યુદ્ધ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી.’નોંધપાત્ર વાત એ છે કે, કાશ્મીર મુદ્દા અને સરહદ પારથી થતી આતંકવાદી ગતિવિધિઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણીવાર વણસ્યા છે.

ઉલ્લેખનીય છે કે5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભારતે બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને 5 ઓગસ્ટ, 2019 ના રોજ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી. સંબંધો વધુ ખરાબ થયા.ભારતે વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. ભારતનું કહેવું છે કે તે આતંકવાદ, અસ્થિરતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે.