good wishes/ દશેરા-નોમનાં મહાપર્વે PM મોદી-રાહુલ ગાંધીએ દેશવાસીને શું પાઠવી શુભકામનાં…

દશેરા-નોમનાં આજનાં મહાપર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહાનવમીની શુભકામનાઓ પાઠવી હતી. PM એ કહ્યું કે તમને બધાને મા સિદ્ધિદાત્રીના આશીર્વાદથી પોતાના કાર્યોમાં સિદ્ધિ મળે. PM મોદીની સાથે સાથે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને અન્ય અનેક નેતાઓ અને મંત્રીઓ દ્વારા દેશવાસીઓને દશેરા-નોમનાં આજનાં મહાપર્વે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી… પીએમ મોદીનું ટ્વિટ દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ, નવરાત્રિના […]

Top Stories India
modi rahul e1540475874696 દશેરા-નોમનાં મહાપર્વે PM મોદી-રાહુલ ગાંધીએ દેશવાસીને શું પાઠવી શુભકામનાં...

દશેરા-નોમનાં આજનાં મહાપર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહાનવમીની શુભકામનાઓ પાઠવી હતી. PM એ કહ્યું કે તમને બધાને મા સિદ્ધિદાત્રીના આશીર્વાદથી પોતાના કાર્યોમાં સિદ્ધિ મળે. PM મોદીની સાથે સાથે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને અન્ય અનેક નેતાઓ અને મંત્રીઓ દ્વારા દેશવાસીઓને દશેરા-નોમનાં આજનાં મહાપર્વે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…

દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ, નવરાત્રિના આ પાવન અવસરે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરાય છે. મા સિદ્ધિદાત્રીના આર્શીવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય.

રાહુલ ગાંધીનું ટ્વીટ

કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવતાં ટ્વિટ કરી કહ્યું કે, અંતે તો વિજય હમેશા સત્યની જ થાય છે.

ઉલ્લેખનીય છે કે, દેવી દુર્ગાના નવમા અને અંતિમ સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા-આરાધના કરાય છે. માતા સિદ્ધિદાત્રીના ભકતો માને છે કે તેમની વિધિવત રીતે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને મનુષ્યને યશ, બળ અને ધનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.