ગુજરાતના અમદાવાદ નજીકના ધંધુકાના 27 વર્ષીય હિન્દુ કિશન ભરવાડની ચિતાની રાખ હજુ ઠંડી પણ નથી પડી ત્યાં કર્ણાટકમાં હર્ષ નામના વધુ એક હિન્દુ કાર્યકર્તાની હત્યાનો મામલો ગરમાયો છે. કિશન ભરવાડ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરી અને યુવા મંત્રીએ આ મામલો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપી તે પ્રશંસનીય છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં જોવા મળી રહ્યો છે, જ્યાં હર્ષ નામના હિન્દુ કાર્યકર્તાની કટ્ટરવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. તો વધુમાં ઉત્તર પ્રદેશના સ્વર્ગસ્થ કમલેશ તિવારીની હત્યાને કેમ ભુલી શકાય ? ઓફિસમાં ઘૂસીને ધોળા દિવસે તેમનિ હત્યા કરવામાં આવી હતી. આ તમામ હત્યાઓમાં શુ સમાનતા છે..? વિચાર માત્રથી દિલ દ્રવી ઉઠશે.
ઇસનિંદા અને તેના પરિણામો મૃત્યુની સજા છે, અને આ માટે કેટલીક મદરેસાઓમાં શ્રમિક કટ્ટરતના પાઠ ભણાવવામાં આવે કહે. જ્યાં ગરીબ ઘરના મુસ્લિમ છોકરાઓને પેડલર તરીકે તૈનાત કરવામાં આવે છે.
કમલેશ તિવારી અને કિશન ભરવાડની હત્યા કરનારાઓને કોર્ટ આજીવન કેદની સજા આપશે, પરંતુ આવી ઘટના માટે પ્રેરણા આપનાર ઉપદેશકોનું શું? ઉપદેશો વિશે શું? આ હત્યાઓ પાછળ જે માસ્ટર માઇન્ડ કહે જેના સિદ્ધાંતોના આ ગરીબ બાળકો સમર્થકો છે, અને જેના કહેવા ઉપર હત્યાઓ કરે છે. આવા પ્રેરકોમાં ઇસ્લામિક સાહિત્ય અને તેના ધાર્મિક પુસ્તકોનું ખોટું અર્થ ઘટન કરી સમાજમાં બિન-મુસ્લિમો (કાફીરો) વિરુદ્ધ ઝેર ફેલાવે છે. આવા મૌલવીઓ મુસ્લિમોને મધ્યયુગીન કાળના અસંસ્કારી અરબી સમાજમાં રહેવા માટે મજબૂર કરી રહ્યા છે, અને તેઓ તેને અન્યો પર પણ લાદવા માંગે છે. સમગ્ર વિશ્વમાં આ જઘન્ય માનવવિરોધી માનસિકતાનો મુખ્ય સ્ત્રોત હાનિકારક ધાર્મિક શિક્ષણ છે. તમે ફ્રાંસ, યુ.એસ., યુ.કે., કેનેડા, અથવા વિશ્વમાં ક્યાંય પણ હોવ કોઈ ફરક નથી પડતો. ઉપદેશ એક જ છે. દર વર્ષે, ઇસ્લામિક કટ્ટરવાદ વિરુદ્ધ બોલનાર મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે.
જો કિશન ભરવાડ હત્યાકાંડમાં પાકિસ્તાન સામેલ હોય તો શું તે દેશદ્રોહ નથી? દુશ્મન દેશ સાથે મળીને સાથી નાગરિકની હત્યા કરવી એ સ્પષ્ટપણે દેશદ્રોહ છે. દિલ્હી સ્થિત મૌલવી કમર ગની ઉસ્માની તહરીક ફારોગ-એ-ઈસ્લામ ચલાવે છે, જે મુસ્લિમ યુવાનોને ઇસ્લામ અથવા મુહમ્મદની ટીકા કરનાર કોઈપણને મારી નાખવા માટે સમજાવવા માટે સમર્પિત સંસ્થા છે. યુટ્યુબ પર, મુસ્લિમ યુવાનોને નિંદાત્મક હત્યાઓ કરવા માટે પ્રોત્સાહિત કરતા ઉસ્માનીના ડઝનેક વીડિયો છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેની સંસ્થાના પાકિસ્તાન સાથે સંબંધો છે અને તેને પાકિસ્તાનથી પેમેન્ટ પણ મળ્યું છે. ઉસ્માની અને અન્ય સહયોગી મૌલાના, અમદાવાદના જમાલપુરના અયુબ જબરવાલાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં તેની વધુ તપાસમાં હજુ કેટલા આવ્યા નરકાંકલ હાથ લાગશે ખબર નથી. આવા મૌલવીઓની કટ્ટરતાથી કેટલાકને આશ્ચર્ય થયું હશે, પરંતુ જેઓ ઇસ્લામની મુખ્ય ફિલસૂફી સમજે છે તેઓ આ વ્યૂહરચનાથી સારી રીતે વાકેફ છે; જેના કારણે દર વર્ષે અનેક મુસ્લિમોની પણ હત્યા થાય છે. આ હત્યાઓનો ધ્યેય એવા બિન-મુસ્લિમોને આતંકિત કરવાનો છે જેઓ ઇસ્લામ અથવા મુહમ્મદની ટીકા કરવાની હિંમત કરે છે, તેમજ ધર્મત્યાગીઓને ડરાવવાનો છે.
કુરાનમાં વજીબ એ કત્લ લખેલું છે માટે હત્યા કરવામાં પાપ નથી
લખનૌમાં હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની 18 ઓક્ટોબરના રોજ બે શખ્સોએ તેમની જ ઓફિસમાં હત્યા કરી નાંખી હતી. જેમાં પણ મૌલવી મોસીન શેખે જેહાદી ભાષણ આપતા મોઈનુદ્દીન અને અશફાકને કહ્યું હતું કે સરિયાત અને કુરાનમાં વજીબ એ કત્લ લખેલું છે માટે હત્યા કરવામાં કોઈ પાપ નથી. આમમૌલવી મોસીનના ભાષણથી બન્ને કટ્ટર બની ગયા હતા અને હત્યા કરવા તૈયાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક એવા માણસની કલ્પના કરો કે જેને 3-4 વર્ષની ઉંમરે ઇસ્લામિક શાળામાં લઈ જવામાં આવે છે અને તે 15-18 વર્ષ સુધી કાફિરો વિશે હત્યા, સ્ત્રીઓને ત્રાસ આપવા અને બિન-મુસ્લિમોને ધર્માંતરિત કરવામાં જેવા અભ્યાસમાં પ્રયાસ કરે છે. આવા મૌલવીઓ કટ્ટરપંથીઓ મુસ્લિમોમાં બિન-મુસ્લિમો પ્રત્યે આ નફરત પેદા કરી રહ્યા છે.
મધ્ય પૂર્વીય ઇસ્લામિક દેશોમાં, ઇસ્લામ એક-માર્ગી છે; મૃત્યુદંડનો સામનો કર્યા વિના ઇસ્લામિક દેશમાં ઇસ્લામ છોડી શકાતો નથી. જો કે, બિનસાંપ્રદાયિક અથવા લોકશાહી દેશોમાં ઘણા લોકો આ ધર્મ છોડી રહ્યા છે, જે બીજી ચર્ચાનો વિષય છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ચિમી દેશોમાં ભૂતપૂર્વ મુસ્લિમોની સુનામી આવી છે જેઓ ઇસ્લામની વાસ્તવિકતાઓ વિશે વિશ્વને શિક્ષિત કરવાના મિશનમાં જોડાયા છે. ભારતમાં, છેલ્લા કેટલાક મહિનામાં ઘણી અગ્રણી હસ્તીઓએ ઇસ્લામનો ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. વસીમ રિઝવી અને મલયાલમ ડિરેક્ટર અલી અકબરે છેલ્લા બે મહિનામાં હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ઘણા યુટ્યુબર્સ, પુરુષો અને સ્ત્રીઓ, ખુલ્લેઆમ પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ હોવાનું જાહેર કરે છે અને અન્ય મુસ્લિમોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
મુસ્લિમ સમુદાયો માટે પણ હવે સમય આવી ગયો છે કે તેઓ તેમના બાળકોને મદરેસાના સ્થાને બાળકોને વૈજ્ઞાનિક જ્ઞાન શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. બીજી વસ્તુ જે મુસ્લિમ કટ્ટરપંથીઓએ તેમના કટ્ટરવાદને છોડી દેશ પ્રત્યેનું તેમનું વલણ, દેશભક્તિ દર્શાવવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે બંધારણનું પાલન કરવું જોઈએ.