“જે પોષતુ, તે મારતું, આ ક્રમ દિસે કુદરત” કવિ કલાપીની આ પંક્તિ મનુષ્ય સભ્યતાની હાજરી સુધી સનાતન જેવી છે. આજ કાલનો જમાનો એટલે ટેક્નોલોજીનો જમાનો કહેવાય છે. વિશ્વ આંગળીનાંં ટેરવા પર આવી ગયું છે. તમામ ક્ષેત્રમાં ડિઝીટલ ક્રાંતીએ નવા જ આયામો દાખલ કર્યા છે, જ્યારે તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે ત્યારે ગુનેગારો પણ વિકસીત થઇ ગયા છે. હવેનો જમાનો સાઇબર ક્રાઇમનો આવ્યો છે તેવુ આસાનીથી તમામ ખાળી શકે છે. કદાચ માટે જ ગુજરાતની આર્થિક રાજઘાની અમદાવાદમાં શુક્રવારનાં એક જ દિવસે 50થી વધુ સાઇબર ગુના નોંધવામાં આવ્યા હતા.
ચોર, લૂંટારુઓ હવે બંધુક કે છરી-ચપ્પુંને બદલે લેટેસ્ટ ટેક્નોલોજી એટલે કે લેપટોપ સાથે પોતાનું કામ સિફ્તતાથી કરી રહ્યા છે. ત્યારે લોકોને રક્ષણ આપવા માટે સુરક્ષા એજન્સીઓએ પણ અપડેટ રહેવુ જ રહ્યું અને આજ મતલબથી સરકાર દ્વારા ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ ડિવિઝને વિશ્વાસ અને સાયબર અશ્વસ્થ નામનાં બે પ્રોજેક્ટને શરૂ કર્યા છે. મંંતવ્ય ન્યૂઝ આપને આ વીડિયો સમાચારનાં માધ્યમથી મદદ કરશે સમજવામાં કે શું છે આ વિશ્વાસ અને સાયબર અશ્વસ્થ નામનાં બે પ્રોજેક્ટસ અને કેવી રીતે તેનાથી સાઇબર ગુના સામે મળશે રક્ષણ…..જુઓ આ વીડિયો અહેવાલ……..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.