કોરોના વાયરસ મહામારીને લઇન રોજ કોઇને કોઇ સમાચાર સામે આવતા જ રહે છે. માનવામાં આવે છે કે, આ વાયરસથી એકમાત્ર વેક્સિન જ છુટકારો અપાવી શકે છે, પરંતુ રસી બજારની ઉપલબ્ધતા અંગેની અનિશ્ચિતતાએ હતાશા અને બેદરકારી બંને તરફ દોરી ગઈ છે. આ જ કારણ છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને એક નિવેદન બહાર પાડીને સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે. WHO એ કહ્યું છે કે, રસીની માન્યતામાં સલામતીનાં પગલાની અવગણના સમગ્ર વિશ્વને ભારે પડી શકે છે.
WHO એ આ ચેતવણી જારી કરવી પડી છે કારણ કે, મોટાભાગનાં દેશોએ કોરોના રોગચાળાથી જોડાયેલાં સુરક્ષા ઉપાયોમાં જરૂરતથી વધારે બેદરકારી અપનાવવાનું શરૂ કર્યું છે. કેટલાક દેશો હર્ડ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાની તરફેણમાં બ્રિટન અને સ્વીડનનું અનુકરણ કરીને બિન-આવશ્યક લોકડાઉન મુક્તિ બાદ પોતાના જ પગોમાં કુલ્હાડી મારવાનું શરૂ કર્યુ છે. WHO નાં ઇમરજન્સી ડિરેક્ટર માઇક રાયને જણાવ્યું હતું કે યુ.એસ.માં લોકડાઉન અને કેટલાક વિસ્તારો ખોલવાથી ચેપ વધુ ઝડપથી ફેલાય છે તેવો ડર છે.
WHO દ્વારા વિશ્વભરનાં દેશોને સૂચના આપવામાં આવી છે કે, બજારમાં પહોંચવાની સંભાવનાઓ અને વિશ્વભરનાં તમામ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવાની સંભાવનાને લઇને WHO એ સમગ્ર વિશ્વનં દેશોને વેક્સિનનાં ભરોસામાં સુરક્ષા ઉપાયો સાથે ન રમવાની સલાહ આપી છે કારણ કે, હજુ સુધી કોઇ પ્રભાવિત રસીની ઉપલબ્ધતાની પુષ્ટિ થઈ નથી. બજી તરફ WHO એ રશિયા દ્વારા જાહેર કરાયેલી સ્પુતિન-વી રસીની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા છે.
WHO નાં વડા ડો.ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસ કહે છે કે, વિશ્વનાં ઘણા દેશો કોરોનાને માત આપવામા ખોટી દિશામાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસથી ચેપનાં નવા કેસો વધી રહ્યા છે, જે સાબિત કરે છે કે સાવચેતી અને પગલાઓની વાત કરવામાં આવી રહી છે, તેનુ પાલન અસલમાં થઇ રહ્યુ નથી. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં અત્યારે આ રોગચાળાનાં સૌથી વધુ પીડિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.