ધરતીકંપ/ ઈન્ડોનેશિયામાં આવ્યો ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઇ

ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ટોબેલોથી 259 કિલોમીટરનાં અંતરે ઉત્તર દિશામાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો.

World
ઈન્ડોનેશિયામાં ભૂકંપનાં ઝટકા

ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ટોબેલોથી 259 કિલોમીટરનાં અંતરે ઉત્તર દિશામાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. અમેરિકાનાં જિયોલોજિકલ સર્વેથી મળેલી માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 નોંધવામાં આવી છે.

આ પણ વાંચો – Covid-19 / સુરેન્દ્રનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકાથી લિંબડી આવ્યો હતો શખ્સ

રવિવારે મધ્ય ઈન્ડોનેશિયાનાં ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે રાહતની વાત એ રહી કે અહી કોઈ જાનહાનિ અથવા નુકસાન થયું નથી. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને જીઓફિઝિક્સ એજન્સીનાં ધરતીકંપ અને સુનામી મિટિગેશન વિભાગનાં વડાએ ફોન પર સિન્હુઆને જણાવ્યું હતું કે, ઝટકાનાં કારણે સુનામી આવી નથી. આ ભૂકંપ રવિવારે (23.47 GMT શનિવાર) સાંજે 6.47 વાગ્યે જકાર્તામાં આવ્યો હતો, તેનું કેન્દ્ર મેલોન્ગુઆન શહેરથી 147 કિમી દક્ષિણપૂર્વમાં અને સમુદ્ર સપાટીથી નીચે 157 કિમીની ઊંડાઈ પર હતું. આ જાણકારી અધિકારીએ આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, નજીકનાં ઉત્તરી માલુકુ પ્રાંતનાં મોરોતાઈ ટાપુઓ પર ભૂકંપની તીવ્રતા 3 એમએમઆઈ (મોડિફાઈડ મર્કેલી ઈન્ટેન્સિટી) અનુભવાઈ હતી. ઉત્તરી માલુકુ પ્રાંતનાં ઇમરજન્સીનાં એકમનાં વડા યુસરી અબ્દુલ કાસિમે જણાવ્યું હતું કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મરોતાઈ ટાપુઓ પર નુકસાન અથવા જાનહાનિનાં કોઈ પ્રાથમિક અહેવાલો નથી, પરંતુ ટાપુઓનાં દરિયાકાંઠાનાં વિસ્તારો દરિયાનાં પાણીમાં લગભગ 1 મીટર ડૂબી ગયા હતા.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

તેણે સિન્હુઆ ન્યૂઝ એજન્સીને ફોન પર જણાવ્યું કે મોરોતાઈ ટાપુઓમાંથી ઘરોને નુકસાન કે ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી, પરંતુ ડઝનબંધ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉત્તરી માલુકુ પ્રાંતનાં શોધ અને બચાવ કાર્યાલયનાં વડા મુહમ્મદ અરાફાએ જણાવ્યું હતું કે મરોતાઈ ટાપુઓમાં સ્થિતિ સુરક્ષિત છે.